સ્પોર્ટસ

રાજકોટમાં જન્મેલા ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું નિધન, લંડનમાં આવ્યો હાર્ટ એટેક

લંડનઃ રાજકોટમાં જન્મેલા ભૂતપૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું 77 વર્ષની વયે નિધન થયું હતું. લંડનમાં આવેલો હાર્ટ એટેક તેમના માટે જીવલેણ સાબિત થયો હતો. દિલીપ દોશી ઓર્થોડોક્સ સ્પિનર ​​તરીકે જાણીતા હતા. તેમનો જન્મ 22 ડિસેમ્બર, 1947 ના રોજ રાજકોટ, ગુજરાતમાં થયો હતો. તેઓ 1979 થી 1983 દરમિયાન ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા હતા.

દિલીપ દોશી 30 વર્ષની ઉંમર પછી ટેસ્ટ ડેબ્યૂ કરનારા અને 100થી વધુ વિકેટ લેનારા માત્ર ચાર બોલરોમાંથી એક છે.
તેમણે 33 ટેસ્ટ મેચ રમી અને 114 વિકેટ લીધી હતી. તેમનો શ્રેષ્ઠ ટેસ્ટ ઇનિંગ્સ બોલિંગ દેખાવ 102 રનમાં 6 વિકેટ હતો.
તેમણે 6 વખત 5 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો -‏‏‎ રાહુલ-પંતની સદી, ભારતે ઈંગ્લેન્ડને જીતવા આપ્યો 371 રનનો ટાર્ગેટ…

તેમણે 15 વન-ડે ઇન્ટરનેશનલ મેચ રમી હતી અને 22 વિકેટ લીધી હતી. જેમાં તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 30 રનમાં 4 વિકેટ હતી.તેમણે બંગાળ અને સસેક્સ, નોટિંગહામશાયર જેવી ઇંગ્લિશ કાઉન્ટી ટીમો માટે પણ નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button