સ્પોર્ટસ

મારું લક્ષ્ય હંમેશાં શ્રેષ્ઠ બનવાનું છે: વિરાટ કોહલી

ચેન્નાઈ: ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વર્તમાન વર્લ્ડ કપમાં સારા ફોર્મમાં છે. કોહલીએ કહ્યું હતું કે હંમેશાથી તેનું લક્ષ્ય શ્રેષ્ઠતાનો પીછો કરવાનો નથી, પરંતુ શ્રેષ્ઠ બનવાનો છે. કોહલી વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે પાંચ મેચમાં ૧૧૮.૦૦ની સરેરાશથી ૩૫૪ રન કર્યા છે જેમાં એક સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે.
કોહલીએ સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું હતું, કે મેં હંમેશા એ વાત પર કામ કર્યું છે કે હું કેવી રીતે દરરોજ, દરેક પ્રેક્ટિસ સેશન, દર વર્ષે અને દરેક સીઝનમાં મારી જાતને સુધારી શકું. આ તે છે જેણે મને લાંબા સમય સુધી રમવા અને પ્રદર્શન કરવામાં મદદ કરી છે.

કોહલીએ કહ્યું હતું કે મને નથી લાગતું કે આ માનસિકતા વિના સતત પ્રદર્શન કરવું શક્ય છે કારણ કે જો પ્રદર્શન તમારું લક્ષ્ય છે, તો વ્યક્તિ થોડા સમય પછી આત્મસંતુષ્ટ થઈ શકે છે અને રમત પર કામ કરવાનું બંધ કરી શકે છે. મારો ઉદ્દેશ્ય હંમેશા શ્રેષ્ઠ બનવાનો રહ્યો છે, શ્રેષ્ઠતાનો પીછો કરવાનો નથી કારણ કે પ્રામાણિકપણે મને ખબર નથી કે શ્રેષ્ઠતાની વ્યાખ્યા શું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ