સ્પોર્ટસ

શું કુલદીપ યાદવ શેન વોર્નના રેકોર્ડને તોડશે?

મુંબઈઃ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્ને 708 વિકેટો સાથે ઈતિહાસ રચ્યો હતો. શેન વોર્નને વિશ્વના સૌથી મહાન સ્પિનરોમાંના એક ગણવામાં આવે છે. હવે ભારતના પૂર્વ બોલર અને ભૂતપૂર્વ બોલિંગ કોચ ભરત અરુણે ભારતીય સ્પિનર કુલદીપ યાદવને શેન વોર્ન સાથે સરખામણી કરી હતી. ઈંગ્લેન્ડના મેદાન પર કુલદીપની ક્ષમતાને જોતા ભરત અરુણે ભવિષ્યમાં કુલદીપ યાદવનું નામ શેન વોર્ન જેવું થવાની વાત કરી હતી.

શું કહ્યું ભરત અરૂણે

ભરત અરુણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સ્પિનરો હંમેશા ઇંગ્લેન્ડમાં અસરકારક પ્રદર્શન કરે છે. ફાસ્ટ બોલરોના ફૂટમાર્કનો ઉપયોગ કરીને સ્પિનરો શાનદાર પ્રદર્શન કરી શકે છે. અરુણે શેન વોર્નની ઇંગ્લેન્ડમાં 22 ટેસ્ટમાં 129 વિકેટની સફળતાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, કુલદીપ યાદવ પાસે પણ આવી ક્ષમતા છે. કુલદીપે અત્યાર સુધી 13 ટેસ્ટમાં 56 વિકેટ લીધી છે, પરંતુ ઇંગ્લેન્ડમાં તેણે માત્ર એક જ ટેસ્ટ રમી છે. અરુણનું માનવું છે કે કુલદીપની સ્પિન બોલિંગ ઇંગ્લેન્ડની પીચ પર ખતરનાક સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો -‏‏‎ BCCI એ પુરૂષ અને મહિલા ક્રિકેટ ટીમના શેડ્યુલમાં કર્યા ફેરફાર: જાણો કઈ મેચ ક્યાં રમાશે

ભરત અરુણે ભારત માટે બે ટેસ્ટમાં 4 વિકેટ અને 48 ફર્સ્ટ-ક્લાસ મેચમાં 110 વિકેટ લીધી હતી. ભરત અરૂણના બોલિંગ કોચ દરમિયાન ભારતને ઘણા ફાસ્ટ બોલર્સ મળ્યા હતા. ઇંગ્લેન્ડમાં આગામી ટેસ્ટ શ્રેણીમાં કુલદીપ પાસે પોતાની ક્ષમતા સાબિત કરવાની મોટી તક હશે અને ચાહકોને તેની બોલિંગ પરથી ઘણી અપેક્ષાઓ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button