સ્પોર્ટસ

કેન વિલિયમસને લખનઊના સલાહકાર બન્યા બાદ ન્યૂ ઝીલૅન્ડ વતી ટી-20માં રમવાનું છોડ્યું

ઑકલૅન્ડઃ ન્યૂ ઝીલૅન્ડ વતી ટેસ્ટ, વન-ડે અને ટી-20 ત્રણેય ફૉર્મેટમાં કુલ મળીને 19,000થી પણ વધુ રન કરનાર ભૂતપૂર્વ કૅપ્ટન કેન વિલિયમસને (Williamson) રવિવારે ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.

નવાઈની વાત એ છે કે તેને તાજેતરમાં જ આઇપીએલની લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) ટીમના સલાહકાર તરીકે નીમવામાં આવ્યો હતો. સ્ટ્રૅટેજિક ઍડવાઇઝર તરીકેની તેની આ નિમણૂક 2026ની આઇપીએલની સીઝન માટેની છે.

ન્યૂ ઝીલૅન્ડ વતી 93 ટી-20 રમનાર વિલિયમસને નિવૃત્તિની જાહેરાત કરી એને પગલે તેને બુધવારે વેસ્ટ ઇન્ડિઝ સામે શરૂ થઈ રહેલી ટી-20 સિરીઝ માટેની ટીમમાં સામેલ નહોતો કરવામાં આવ્યો.

આપણ વાચો: કિંગ કોહલી વિરુદ્ધ સેન્ટનર, વિલિયમસન વિરુદ્ધ વરુણ… જોરદાર રસાકસીની ઘડી આવી ગઈ…

35 વર્ષના રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન વિલિયમસને 93 ટી-20 ઇન્ટરનૅશનલમાં 2,575 રન કર્યા હતા જેમાં એક પણ સેન્ચુરી નહોતી. તેણે કૅરિબિયનો સામેની ટેસ્ટ શ્રેણી પર ધ્યાન કેન્દ્રિત કરવાના હેતુથી તાજેતરમાં વન-ડે સિરીઝ નહોતો રમ્યો. ટેસ્ટમાં તેણે કુલ 9,276 રન અને વન-ડેમાં 7,256 રન કર્યા છે.

કેન વિલિયમસને વર્તમાન કૅપ્ટન અને સ્પિનર મિચલ સૅન્ટનરની કૅપ્ટન્સીના ખૂબ વખાણ કર્યા હતા. વિલિયમસનના 19,000 પ્લસ ઇન્ટરનૅશનલ રન ન્યૂ ઝીલૅન્ડની ક્રિકેટમાં વિક્રમ છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button