સ્પોર્ટસ

ગલૂડિયાંએ બચકું ભર્યાં પછી કબડ્ડી ખેલાડીએ બે મહિને જીવ ગુમાવ્યો

બુલંદશહેર (ઉત્તર પ્રદેશ): બાવીસ વર્ષની ઉંમરના રાજ્ય-સ્તરિય કબડ્ડી ખેલાડી બ્રિજેશ (Brijesh)ને શ્વાન કરડ્યા બાદ ઍન્ટિ-રૅબિઝ વૅક્સિન ન લેતાં બ્રિજેશનું મૃત્યુ થયું હોવાનું તેના એક સંબંધીએ પીટીઆઇને જણાવ્યું હતું.

બે મહિના પહેલાં બ્રિજેશ શ્વાનના બચ્ચાં (puppy)ને મોટી કચરાપેટીમાંથી બચાવવા ગયો ત્યારે એ ગલૂડિયાંએ તેને બચકું (dog bite) ભર્યું હતું. જોકે 28મી જૂને બ્રિજેશની તબિયત અચાનક બગડી ગઈ હતી અને સારવાર લેવા છતાં તેનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચો: થાણેમાં કબડ્ડી પ્લેયરની હત્યાના કેસમાં કોચની ધરપકડ

તેના સંબંધીઓએ કહ્યું હતું કે ` બ્રિજેશે બે મહિના દરમ્યાન ઍન્ટિ-રૅબિઝ રસી લેવાનું ટાળ્યું હતું, કારણકે તે એવું કહેતો હતો કે તેને કોઈ ગંભીર ઈજા નથી થઈ.

બ્રિજેશે ફરાના ગામમાં કબડ્ડીની વધુ તાલીમ લઈ રહ્યો હતો અને એ અરસામાં તેની સાથે આ જીવલેણ ઘટના બની હતી.
બ્રિજેશના મૃત્યુ બાદ આરોગ્ય વિભાગે ફરાના ગામમાં એક સાથે 29 જણને ઍન્ટિ-રૅબિઝ વૅક્સિન (vaccine) આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button