Video: શ્રેયસ ઐયરે શશાંક સિંહને ગાળો આપી? હાથ પણ ના મિલાવ્યો! જાણો કેપ્ટનનો ગુસ્સો કેમ ફાટી નીકળ્યો?

અમદવાદ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ક્વોલિફાયર-2 માં મુંબઈ ઇન્ડિયન્સને 5 વિકેટે હારવીને પંજાબ કિંગ્સ(PBKS)એ ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. આ જીત માટે PBKSના કેપ્ટન શ્રેયસ ઐયરે મહત્વની ભૂમિકા ભજવી, તેણે 41 બોલમાં અણનમ 87 રનની ઇનિંગ શાનદાર ઇનિંગ રમી. શ્રેયસે પરિસ્થિતિને અનુરૂપ ખુબ જ ધૈર્ય રાખીને બેટિંગ કરી હતી અને છેલ્લે સિક્સ ફટકારીને ટીમને જીત અપાવી હતી. જીત બાદ પણ શ્રેયસે ઉજવણી કરી ન હતી, તેના ચહેરા પર કોઈ ઈમોશન દેખાયા ન હતાં. પરંતુ મેચ બાદ સાથી ખેલાડીઓ સાથે હાથ મિલાવતા વખતે શ્રેયશે શશાંક સિંહને ખખડાવ્યો (Shreyash Iyer rebuke Shashank Singh) હતો.
શ્રેયસ ઐયરે અશ્વિની કુમારની બોલ પર વિજયી છગ્ગો ફટકાર્યા બાદ પંજાબ કિંગ્સના કેમ્પકેમાં ઉત્સાહ વ્યાપી ગયો હતો. કેમ કે ટીમ વર્ષ 2014 બાદ પહેલી વાર IPL ફાઇનલ પહોંચી છે, PBKSના ખેલાડીઓ અને ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા અન્ય લોકો શ્રેયસને મળવા મેદાન પર પહોંચ્યા હતાં.
મેચ પછી હાથ મિલાવવાના રિચ્યુઅલ દરમિયાન શશાંક સિંહ જયારે શ્રેયસ ઐયર સાથે હાથ મિલાવવા પહોંચ્યો, ત્યારે શ્રેયસે તેની સામે હાથ કરીને કંઇક કહ્યું. આ દરમિયાનના વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે શ્રેયસ શશાંકથી ગુસ્સે છે. સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે શ્રેયશે તેને અપશબ્દો કહ્યા.
શ્રેયશે ગુસ્સો કેમ આવ્યો?
MIએ PBKSને 204નો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો. રન ચેઝ કરવા ઉતરેલી PBKSની 72માં ત્રણ વિકેટ પડી ગઈ હતી, ત્યાર બાદ શ્રેયસ ઐયર અને નેહલ વઢેરાએ ઇનિંગને આગળ વધારી હતી, બંને વચ્ચે 84 રનની પાર્ટનરશીપ થઇ. મેચ PBKSના પક્ષમાં દેખાતી હતી ત્યારે 156રનના સ્કોર પર PBKSએ ચોથી વિકેટ ગુમાવી. નેહલ વઢેરા 48 રન બનાવીને આઉટ થયો.

હવે મેચ રોમાંચક તબક્કામાં હતી, નેહલના આઉટ થયા બાદ શશાંક સિંહ બેટિંગ કરવા આવ્યો. આ નિર્ણાયક ક્ષણોમાં શશાંક સિંહે ખુબ બેદરકારીથી પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.
આ પણ વાંચો – Video: ચહલે સૂર્યકુમારની વિકેટ લીધી ત્યારે RJ મહવશ ઉછળી પડી; પ્રીતિ ઝિન્ટાએ આ રીતે કરી ઉજવણી
PBKSને જીત માટે 21 બોલમાં 35 રનની જરૂર હતી અને છ વિકેટ બાકી હતી. ટ્રેન્ટ બોલ્ટે બોલ ફેંક્યો શાશાંકે બોલને મિડ-ઓન તરફ ફટકાર્યો, બંને બેટર્સ સિંગલ લેવા માટે દોડ્યા. શશાંક નોન-સ્ટ્રાઈકર એન્ડ તરફ દોડી રહ્યો હતો, ત્યારે ફિલ્ડર હાર્દિક પંડ્યાએ ડાયરેક્ટ હિટ મારી. MI દ્વારા અપીલ કરવામાં આવી.
ઓન ફિલ્ડ અમ્પાયરે ટીવી અમ્પાયરને પૂછ્યું, ટીવી અમ્પાયરને જાણવા મળ્યું કે બોલ સ્ટમ્પ સાથે અથડાયો ત્યારે શશાંકનું બેટ ક્રિઝની બહાર હતું. સ્ક્રિન પર શશાંકને આઉટ જાહેર કરવામાં આવ્યો. શશાંક ૩ બોલમાં 2 રન બનાવીને પરત ફર્યો.
શશાંકની ગંભીર બેદરકારી:
હકીકતે બોલને ફટકાર્યા બાદ ઝડપથી ભાગવાને બદલે શશાંકે જોગીંગ કરતો હોય એમ ઓછી ઝડપે ભાગ્યો હતો. તેણે છેલ્લી ઘડીએ ઝડપ વધારવાની કોશીશ કરી, પણ તેણે ડાઈવ ન મારી. બોલ સ્ટમ્પને અથડાયોએ પહેલા એ ક્રીઝથી દૂર રહી ગયો. પંજાબ કિંગ્સ માટે આ વિકેટ ભારે પડી શકી હોત.
કેપ્ટન શ્રેયસ ઐયર સહજ રીતે તેનાથી નાખુશ હશે પણ એ સમયે તે શાંત રહ્યો હતો. પરંતુ ટીમને જીત અપાવ્યા બાદ તેણે શશાંકને ભૂલ માટે ખખડાવ્યો હતો.