IPL Final: PBKS ફરી ટાઇટલ જીતવાથી ચૂકી, હાર માટે આ 3 મોટા કારણો જવાબદાર રહ્યા…

અમદાવાદ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025ના લીગ રાઉન્ડમાં ટોચ પર રહેલી ટીમ પંજાબ કિંગ્સ(PBKS) ફાઈનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB) સામે 6 રને હારી ગઈ, આ સાથે IPL ટાઇટલ જીતવાનું PBKSનું સપનું ફરી એકવાર તૂટી ગયું.
PBKSના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. RCBએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતાં, વિરાટ કોહલીએ સૌથી વધુ 43 રન બનાવ્યા હતાં. PBKSના બેટર્સનું ફોર્મ જોતા ટાર્ગેટ વધુ મુશેકલ જણાતો ન હતો, છતાં ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 184 રન જ બનાવી શકી.
PBKSની હારના 3 મુખ્ય કારણો:
પ્રભસિમરન સિંહની ધીમી ઇનિંગ:
પંજાબ કિંગ્સની ઓપનીંગ જોડીએ 43 રન બનાવ્યા હતાં, પરંતુ પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ આર્યએ ધીમી શરૂઆત કરી હતી. પ્રિયાંશે 19 બોલમાં 24 રન બનાવ્યા હતા, જ્યારે પ્રભસિમરને 22 બોલ રમીને 26 રન બનાવ્યા હતા.
કેપ્ટન શ્રેયસ ઐયરનું સસ્તામાં આઉટ થવું:
આ સિઝનમાં પંજાબ કિંગ્સ માટે સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન શ્રેયસ ઐયર ફાઇનલમાં સારું પ્રદર્શન કરી શક્યો નહીં. તે 2 બોલમાં માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો, રોમારિયો શેફર્ડે તેની વિકેટ લીધી. શ્રેયસ ઐયર મેદાનમાં આવ્યો ત્યારે PBKS સારી સ્થિતિમાં હતી, પરંતુ તેની વિકેટ પછી ગેમ પલટાઈ ગઈ.
નેહલ વાઢેરાએ બોલ બગાડ્યા:
શશાંક સિંહ અને નેહલ વાઢેર ક્રીઝ પર હતા, ત્યારે લાગી રહ્યું હતું કે PBKS જીત મેળવી શકે છે. પરંતુ નેહલે બોલ બગાડ્યા જેના કારણે ટીમ પર પ્રેસર વધતું ગયું. નેહલે 18 બોલમાં માત્ર 15 રન બનાવ્યા.