IPL 2025

આરસીબીના ખેલાડીઓ બેંગલૂરુના મેદાનમાં એક ચક્કર લગાવ્યા પછી જતા રહ્યા

બેંગલૂરુઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના ચૅમ્પિયન ખેલાડીઓ બુધવારે સાંજે આઇપીએલની 18 વર્ષે પ્રથમ ટ્રોફી જીત્યા એ બદલ વિક્ટરી પરેડના ભાગરૂપે બેંગલૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M. CHINNASWAMI STADIUM)માં પહોંચ્યા હતા, પરંતુ ત્યાર બાદ નાના સમારોહ બાદ મેદાન પર એક વિક્ટરી પરેડ (VICTORY PARADE) બાદ મેદાન પરથી પાછા જતા રહ્યા હતા.

એ પહેલાં, સ્ટેડિયમની બહાર આશરે 50,000 લોકોની મેદનીમાં જે નાસભાગ અને ધક્કામુક્કી (STEMPEDE)ના જે બનાવો બન્યા હતા એમાં 12 જેટલા લોકોના જાન ગયા હોવાનો અહેવાલ મળ્યો હતો.

એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિક્ટરી પરેડ યોજાઈ એ પહેલાં ટીમના સુપરસ્ટાર વિરાટ કોહલીએ સ્ટેડિયમમાં ઉપસ્થિત હજારો ક્રિકેટપ્રેમીઓને સંબોધન કર્યું હતું અને આખી સીઝનમાં તેમ જ 18 વર્ષમાં આરસીબીને જે ટેકો આપ્યો અને આ ટીમ પર ભરોસો સાચવી રાખ્યો એ બદલ તેમનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો: બેંગલૂરુમાં ચૅમ્પિયન આરસીબીની ટીમને જોવા હજારો લોકો ઊમટી પડ્યાઃ 10 જણના મૃત્યુ, અનેક ઘાયલ

વિરાટ કોહલીએ ટીમના સુકાની રજત પાટીદારની ભરપેટ પ્રશંસા કરી હતી. પાટીદાર પહેલી જ વાર આરસીબીનો સુકાની બન્યો અને તેણે ટીમને ટ્રોફી અપાવી દીધી.

વિરાટ હજારો લોકોની હાજરીમાં સ્પીચ આપી રહ્યો હતો ત્યારે અમુક સ્ટૅન્ડમાંથી ચાહકોએ સતતપણે આરસીબી...આરસીબી...' તેમ જકોહલી…કોહલી…’ની બૂમો પાડી હતી.
આરસીબીના ખેલાડીઓએ હજારો ચાહકોની હાજરીમાં ટ્રોફી ગર્વભેર ઊંચકી હતી અને ક્નનડ ભાષામાં `ઇ સાલા કપ નામદુ’ના નારા સાથે લોકોનો આભાર માન્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button