IPL FINAL-2025: RCBના જિતવાના ચાન્સીસ ઓછા છે, કારણ કે… જાણો કોણે કરી આવી ભવિષ્યવાણી?

ક્રિકેટના કુંભમેળા સમાન આઈપીએલ-2025માં આજે ખરાખરીનો જંગ જામશે. આજે અમદાવાદ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે ફાઈનલ મેચ રમાવવાની છે ત્યારે ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સુક્તા જોવા મળી રહી છે કે આખરે આ વખતે ટ્રોફી કોણ ઉપાડશે? બંને ટીમનું ફાઈનલમાં આવવું જ ફેન્સ માટે એક સરપ્રાઈઝ સમાન છે. સોશિયલ મીડિયા પર આઈપીએલ ફાઈનલ્સને લઈને જાત જાતની ભવિષ્યવાણી થઈ રહી છે. ત્યારે બોલીવૂડના એનાલિસ્ટ અને એક્ટર કેઆરકેએ રેકોર્ડ સાથે ભવિષ્યવાણી કરી દીધી છે કે આખરે કઈ ટીમ ટ્રોફી ઉઠાવશે. ચાલો જોઈએ કઈ છે આ ટીમ…
કેઆરકે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે દરેક મુદ્દા પર ખુલીને પોતાની રાય રજૂ કરે છે. એન્ટરટેઈન્ટમેન્ટથી લઈને પોલિટીક્સ, સ્પોર્ટ્સ તમામ મુદ્દે કેઆરકે પોસ્ટ ચોક્કસ શેર કરે છે.
હવે આજે રમાનારી આઈપીએલની ફાઈનલ મેચને લઈને પણ તેણે ભવિષ્યવાણી કરતાં જણાવ્યું કે છે કે વિરાટ કોહલીની ટીમ હારી શકે છે.
આ પણ વાંચો – આજે ચેમ્પિયન થનારી ટીમને કેટલું રોકડ ઇનામ મળશે?
કેઆરકેએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે બંને ટીમ ક્યારેય ટ્રોફી નથી જિતી અને બંને ટીમે આ સિઝનમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું છે. પરંતુ આરસીબીને 2009,2011, 2016ની ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને એના પરથી એવું કહી શકાય કે ટીમ ફાઈનલમાં સારું પ્રદર્શન નથી કરી શકતી. જ્યારે પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યર ગયા વર્ષે કેકેઆરમાં હતા અને તેમણે ટ્રોફી જિતી હતી તો આવી સ્થિતિમાં પંજાબની ટ્રોફી જિતવાની શક્યતા વધી જાય છે. આરસીબીની જિતવાની શક્યતા 49 ટકા અને પંજાબના જિતવાની શક્યતા 51 ટકા જેટલી છે.
આ પણ વાંચો – Exclusive: IPL ફાઇનલની ટિકિટોમાં ગરબડ, યુવકે લગાવ્યો ગેરરીતિનો આક્ષેપ
કેઆરકેએ પોતાની પોસ્ટમાં પંજાબના કેપ્ટન શ્રેયસ અય્યરના વખાણ કર્યા હતા અને લખ્યું હતું કે અય્યરને પંજાને 26.75 કરોડમાં ખરીદ્યો હતો અને જો તે ટ્રોફી જિતશે તો તેની કિંમત 40 કરોડ રૂપિયા થઈ જશે.
કેઆરકેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે અને એક ફેને આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે બંને ટીમોએ સારું પ્રદર્શન કર્યું હતું. જોઈએ હવે કોણ ટ્રોફી જિતે છે, થોડી તકદીરની પણ મદદ હોય છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે તમે તો કંઈ બોલશો જ નહીં…