ત્રણ-ત્રણ કૅચ છોડો પછી ક્યાંથી જીતાયઃ શુભમન ગિલ

મુલ્લાંપુર (ન્યૂ ચંડીગઢ): ભૂતકાળમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) વતી રમી ચૂકેલા અને આઇપીએલની આ સીઝન માટે ગુજરાત ટાઇટન્સ (GT)ના ફ્રૅન્ચાઇઝીએ 2.40 કરોડ રૂપિયામાં ખરીદેલા સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર જેરાલ્ડ કૉએટઝી પહેલાં તો એમઆઇની ઇનિંગ્સમાં ખર્ચાળ બન્યો અને પછી શ્રીલંકન વિકેટકીપર કુસાલ મેન્ડિસ (KUSAL MENDIS) ઉપરાંત તેણે પણ કૅચ છોડ્યા એટલે કૅપ્ટન શુભમન ગિલ (SHUBHMAN GILL) બન્નેથી ખૂબ નારાજ હતો અને ગિલે શુક્રવારે અહીં આઇપીએલ (IPL-2025)ના એલિમિનેટર મુકાબલામાં એમઆઇ સામેના પરાજય પછી કહ્યું, અમારા ફીલ્ડર્સ ત્રણ-ત્રણ કૅચ છોડે પછી ક્યાંથી જીતી શકાય.’ મુંબઈએ પાંચ વિકેટે 228 રન કર્યા હતા. 20મી ઓવર કૉએટઝીને અપાઈ હતી જેમાં બાવીસ રન બન્યા હતા. ગુજરાતનો 20 રનથી પરાજય થયો અને કૉએટઝીની એ ખર્ચાળ ઓવર છેવટે ગુજરાતને નડી એવું કહી શકાય. એ પહેલાં, રોહિત શર્મા (81 રન) ત્રણ રન અને બાર રન પર હતો ત્યારે તેનો કૅચ છૂટ્યો હતો. ખુદ રોહિતે પોતાને શુક્રવારે નસીબવાન ગણાવ્યો હતો.
શુભમન ગિલે મૅચ પછીની હતાશામાં કહ્યું, અમે આ મૅચ જીતી શક્યા હોત. છેલ્લી ત્રણ-ચાર ઓવર અમારી તરફેણમાં નહોતી. અમારા ફીલ્ડર્સ જો ત્રણ-ત્રણ કૅચ છોડે પછી બોલર્સ શું કરે! સ્થિતિ સંપૂર્ણપણે બોલર્સના હાથમાં હતી જ નહીં.’
આપણ વાંચો: મારો આ સાથી ખેલાડી મુંબઈના રહેઠાણોના ભાવ જેવો છેઃ હાર્દિકે આવું કોના માટે કહ્યું?
ગુજરાતે 229 રનના લક્ષ્યાંકના જવાબમાં છ વિકેટે 208 રન કર્યા હતા. સાઇ સુદર્શને 81 રન અને વૉશિંગ્ટન સુંદરે 48 રન કર્યા હતા, પણ ખુદ ગિલ (1 રન) પહેલી જ ઓવરમાં ટ્રેન્ટ બૉલ્ટના બૉલમાં એલબીડબ્લ્યૂ થયો હતો.