ચહલની ટીમ IPL હારી તો ધનશ્રી વર્માએ કરી પોસ્ટ, જુઓ વિરાટ કોહલીને કેવી રીતે આપી શુભેચ્છાઓ

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માથી ભાગ્યે જ કોઈ ક્રિકેટ ફેન્સ અજાણ હશે. 2020માં તેઓ લગ્નગ્રંથીમાં જોડાયા હતા અને 5 વર્ષ બાદ એટલે કે તાજેતરમાં તેમણે છૂટાછેડા પણ લઈ લીધા હતા. હાલ, ધનશ્રી વર્મા IPL ટીમની જીતને લઈને કરેલી પોસ્ટના કારણે ચર્ચામાં આવી છે.
ધનશ્રી વર્માએ પોતાની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં રોયલ ચેલેંજર્સ બેંગલુરૂની ટીમ અને વિરાટ કોહલીને શુભેચ્છાઓ પાઠવી છે. તેણે હાથમાં ટ્રોફી પકડીને ઊભા રહેલા વિરાટ કોહલની ફોટો શેર કરીને લખ્યું હતું કે, “ફાઈનલી, નંબર 18 માટે 18. વિરાટ કોહલી અને તેમની ટીમને અભિનંદન.”
યુઝવેન્દ્ર ચહલે પોતાની IPLની કારકિર્દીની શરૂઆત 2011માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમ સાથે જોડાઈને કરી હતી. 2014થી 2022 સુધી તે રોયલ ચેલેંજર્સ બેંગલુરૂની ટીમમાંથી રમ્યો હતો. 2016ની ફાઈનલમાં પણ તે હતો. 2022 બાદ તે પંજાબ કિંગ્સ ઈલેવનમાં જોડાયો હતો.
આપણ વાંચો: બેંગલુરુમાં બનેલી ઘટના પર વિરાટ કોહલીએ કરી ભાવુક પોસ્ટ, લખ્યું- હું સંપૂર્ણપણે તૂટી ગયો…
IPL 2025ની ફાઈનલમાં રોયલ ચેલેંજર્સ બેંગલુરૂની ટીમનો પંજાબ કિંગ્સ ઈલેવન ટીમ સાથે મુકાબલો થયો હતો. જેમાં રોયલ ચેલેંજર્સ બેંગલુરૂએ પંજાબ કિંગ્સ ઈલેવનને 18 રનથી હરાવી હતી. જોકે ધનશ્રી વર્મા પહેલાથી જ રોયલ ચેલેંજર્સ બેંગલુરૂની ફેન હતી. આજે ભલે યુઝવેન્દ્ર ચહલ તે ટીમમાં નથી, પરંતુ તેનો રોયલ ચેલેંજર્સ બેંગલુરૂ પ્રત્યેનો પ્રેમ ઓછો થયો નથી.