
બેંગલુરુઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 17 વર્ષ પછી આઈપીએલમાં જીત મેળવી છે. RCB એ 18 વર્ષ પછી તેની પહેલી IPL ટ્રોફી જીતી હતી. રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળ RCB (Royal Challengers Bengaluru)એ ફાઇનલમાં પંજાબ કિંગ્સને 6 રનથી હરાવ્યું અને ટ્રોફી પોતાને નામ કરી હતી. આ જીત ફક્ત બેંગ્લોરમાં જ નહીં પરંતુ દેશના વિવિધ શહેરોમાં ટીમ અને વિરાટ કોહલી (Virat Kohli)ના ચાહકોએ ઉજવણી કરી હતી.
RCB એ IPL 2025ની ટ્રોફી જીતી તે બાદ ગઈ કાલે એટલે કે 4 જૂનના રોજ બેંગલુરુમાં ધામધૂમથી ઉજવણી પણ કરવામાં આવી હતી, પરંતુ ભારે ભીડ અને ગેરવહીવટને કારણે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M Chinnaswamy Stadium)ની બહાર નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન 11 લોકોના મોત થયા હતાં. આ સમગ્ર ઘટના અંગે વિરાટ કોહલીની પ્રતિક્રિયા પ્રકાશમાં આવી છે.
બેંગ્લોરમાં ભાગદોડ બાદ વિરાટ કોહલીએ શું કહ્યું?
બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી ભાગદોડ બાદ જે 11 લોકોના મોત થયા તેના માટે વિરાટ કોહલીએ RCB ટીમનું સત્તાવાર નિવેદન શેર કર્યું છે. પોસ્ટ શેર કરતા લખ્યું કે, ‘હું સંપૂર્ણપણે ભાંગી પડ્યો છું, મારી પાસે કહેવા માટે શબ્દો નથી’. વિરાટ કોહલીએ પોતાના ચાહકો માટે ભાવુક પોસ્ટ કરી છે.
RCB ટીમ દ્વારા પણ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું
RCB એ પોતાનું નિવેદન જારી કરીને બેંગલુરુમાં ભાગદોડમાં 11 લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. પોસ્ટમાં લખ્યું કે, ‘મીડિયા રિપોર્ટ્સ દ્વારા પ્રકાશમાં આવેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓથી અમે ખૂબ જ દુઃખી છીએ. દરેકની સલામતી અને આરોગ્ય અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. RCB જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કરે છે અને અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે. પરિસ્થિતિની જાણ થયા પછી તરત જ, અમે અમારા સમયપત્રકમાં સુધારો કર્યો અને સ્થાનિક વહીવટીતંત્રના માર્ગદર્શન અને સલાહનું પાલન કર્યું. અમે અમારા બધા સમર્થકોને કૃપા કરીને સુરક્ષિત રહેવા વિનંતી કરીએ છીએ’.