IPL 2025

Mumbai Indians ની જિત માટે Akash Ambani એ કર્યા આ મંદિરમાં દર્શન… વીડિયો થયો વાઈરલ…

આઈપીએલ-2025ની એક્સાઈટમેન્ટ એકદમ ચરમસીમા પર છે આજે સાંજે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે એલિમિનેટર રાઉન્ડ રમાશે. આ રાઉન્ડમાં પોતાની ટીમ એમઆઈની જિત માટે એમઆઈના ઓનર આકાશ અંબાણી ખાસ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આકાશ અંબાણી આ મંદિરમાં પૂજા-અર્ચના સાથે હનુમાન ચાલીસાનો પાઠ પણ કર્યો હતો. આવો જોઈએ મેચ પહેલાં આકાશ ક્યા મંદિરે દર્શન કરવા પહોંચ્યો છે-

ETV bharat

આકાશ અંબાણી રાજસ્થાનના સાલાસર ખાતે આવેલા બાલાજી મંદિર પહોંચ્યા હતા. આ સમયે આકાશ અંબાણીએ પૂજા અર્ચના કરીને બાલાજી મહારાજના દર્શન કર્યા હતા અને તે લાંબો સમય સુધી મંદિરમાં રહ્યા હતા. એટલું જ નહીં તેમણે આ મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ પણ કર્યો હતો.

આકાશ અંબાણીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આકાશ અંબાણી પૂજા-અર્ચના કરવાની સાથે સાથે માનતાનું નારિયેળ પણ બાંધ્યું હતું. સાથે સાથે સ્વયંભૂ બાલાજી મંદિરનો મહિમા સાંભળીને તેમણે પરિવાર સાથે નિરંતર બાલાજીના દર્શન કરવાની વાત પણ કહી હતી.

Akash Ambani at the Kamakhya Devi temple in Guwahati, Assam.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં આકાશ અંબાણી ગઈકાલે આસામના ગુવાહાટી ખાતે આવેલા કામખ્યા દેવીના મંદિરમાં માથું ટેકવવા માટે પહોંચ્યા હતા. આ મંદિરમાં પણ તેણે પૂજા-અર્ચના કરીને માતાના આશિર્વાદ લીધા હતા. જોકે, આ પહેલી વખત નથી મેચ પહેલાં આકાશ અંબાણી ભગવાનના દર્શન કરીને આશિર્વાદ લેવા મંદિર પહોંચ્યા હોય. આ પહેલાં પણ તેઓ મુંબઈની મેત પહેલાં બાબુલનાથ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા એ સમયે પણ તેમનો વીડિયો વાઈરલ થયો હતો. અંબાણી પરિવારના તમામ સભ્યો ખૂબ જ આસ્થાળુ છે. કોઈ પણ મહત્ત્વના કામ પહેલાં કે મહત્ત્વની મીટિંગ પહેલાં તેઓ અચૂક ભગવાનના દર્શન કરીને તેમના આશિર્વાદ લેવાનું પસંદ કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button