મેચ હાર્યા બાદ ડ્રેસિંગ રૂમમાં પહોંચીને Akash Ambaniએ કર્યું કંઈક એવું કહ્યું…

આ વખતે પણ મુંબઈ ઈન્ડિયન્સ (MI) સતત પાંચમી વખત ફાઈનલમાં ક્વાલિફાઈ કરવાથી ચૂકી ગઈ અને રવિવારે બીજી જીનના બીજા ક્વોલિફાયરમાં પંજાબથી હારીને બહાર થઈ ગઈ હતી.
આઈપીએલ-2025ની ટ્રોફી ઉઠાવવાનું સપનું ચકનાચૂર થતાં મુંબઈ ઈન્ડિન્સના ફેન્સ, ખેલાડીઓ અને માલિક આકાશ અંબાણી પણ નિરાશ થયા હતા. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં આકાશ અંબાણી મેચ હાર્યા બાદ ડ્રેસિંગ રૂમમાં પહોંચીને ખેલાડીઓ સાથે વાત કરતાં જોવા મળી રહ્યા છે. આવો જોઈએ શું કહ્યું આકાશ અંબાણીએ-
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં આકાશ અંબાણી ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને ચિયરઅપ કરતાં જોવા મળ્યા હતા.
આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે છેલ્લી વાત જે હું તમને કહેવા માંગું છું એ મારા પિતાનો એક ક્વોટમાંથી એક છે કે આવી પરિસ્થિતિ અને હાલત તમને બે વિકલ્પ આપે છે. એક તો કડવો માણસ બનવું કે એક સારો માણસ બનવું. એક સારો માણસ દરેક વ્યક્તિ પર વ્યક્તિગત રીતે લાગુ થાય છે અને એને કુશળતા, માનસિકતા અને ટીમની ભાવનાના આધાર પર બીજું શું જોઈએ.
આકાશે પોતાની સ્પિચમાં આગળ એવું પણ જમાવ્યું હતું કે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જેણે જે કંઈ પણ ખોયું છે એને કડવાશથી ના લેવું જોઈએ. આપણે આ વાતને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. આઈુપીએલના ચેમ્પિયન બનવા માટે આપણે શું કરવું જોઈએ. આવનારા નવ મહિના માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જલદી જ મળીશું, દરેક વસ્તુ માટે ધન્યવાદ.
આ પણ વાંચો – અમદાવાદમાં વરસાદે કરોડો ક્રિકેટપ્રેમીઓના હૃદયના ધબકારા વધારી દીધા છે
આકાશ અંબાણીનો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વાત કરીએ મુંબઈ ઈન્ડિયન્સના આ વર્ષના પર્ફોર્મન્સની તો હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીવાળી ટીમ શરૂઆતમાં સંઘર્ષ કરી રહી હતી. પહેલી પાંચ મેચમાંથી એક જ મેચ એમઆઈ જિતી શકી હતી. છઠ્ઠી મેચથી મુંબઈ ઈન્ડિયન્સે કમબેક કર્યું હતું અને 14માંથી 8 મેચ જિતીને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને રહી હતી.
પંજાબ સામેની મેચ હાર્યા બાદ આકાશ અંબાણી, નીતા અંબાણી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા સહિત તમામ ખેલાડીઓ એકદમ નિરાશ થઈ ગયા હતા અને તેમના ચહેરા પર હતાશા એકદમ સ્પષ્ટ દેખાઈ રહી હતી.