સ્પોર્ટસ

IPL 2024: કોલકાતા નાઈટ રાઈડર્સે નીતિશ રાણાની જગ્યાએ આ પ્લેયરને કેપ્ટનશીપ સોંપી

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની તૈયારીઓ ખૂબ જ ઝડપી ગતિએ ચાલી રહી છે. આ સિઝન મારે પ્લેયર્સની હરાજી 19મી ડિસેમ્બરના રોજ દુબઈમાં થશે. IPL 2024 પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટીમે શ્રેયસ અય્યરને ફરીથી કેપ્ટન બનાવ્યો છે. ઈજાના કારણે ઐયર ગત સિઝનમાં રમી શક્યો ન હતો. તેમની ગેરહાજરીમાં નીતિશ રાણાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

KKR એ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા માહિતી શેર કરી છે. ટીમે નીતિશ રાણાના સ્થાને અય્યરને ફરીથી કેપ્ટન બનાવ્યો છે. ઈજાના કારણે ઐયર ગત સિઝનમાં રમી શક્યો ન હતો. આ કારણે નીતીશે આખી સિઝનમાં કેપ્ટનશિપ કરી હતી. હવે ઐયરની વાપસી સાથે તેને સુકાનીપદ સોંપવામાં આવ્યું છે. નીતિશને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અય્યર એક અનુભવી ખેલાડી છે અને તેણે ઘણી વખત ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે.


શ્રેયસ અય્યરે કેપ્ટન બન્યા બાદ પ્રતિક્રિયા આપી હતી. તેમણે નીતિશ રાણાની પણ પ્રશંસા કરી હતી. અય્યરે કહ્યું, “છેલ્લી સિઝન અમારા માટે ખૂબ જ પડકારજનક હતી. નીતિશે પોતાની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી. મારી જગ્યા ભરવાની સાથે તેણે સારી કેપ્ટનશિપ પણ કરી. હું ખુશ છું કે કેકેઆરએ તેને વાઇસ કેપ્ટન બનાવ્યો છે. તેના કારણે ટીમની તાકાત વધશે તેમાં કોઈ શંકા નથી.


IPL 2023ના પોઈન્ટ ટેબલમાં KKR 7માં નંબર પર રહ્યું હતું. તેણે 14 મેચ રમીને 4માં જ જીત મેળવી હતી. ટીમ તરફથી રિંકુ સિંહે સૌથી વધુ રન બનાવ્યા હતા. રિંકુએ 14 મેચમાં 474 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 અડધી સદી ફટકારી હતી. રિંકુનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 67 રન હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ