
નવી દિલ્હીઃ અમદાવાદમાં ગુરુવારે બપોરે વિમાન તૂટી પડવાની જે હૃદયદ્રાવક જીવલેણ દુર્ઘટના (plane crash) બની એ સંબંધમાં ભારતીય ક્રિકેટરોએ દુઃખ વ્યક્ત કર્યું છે અને અસરગ્રસ્ત લોકોના પરિવારજનો પ્રત્યે શોક તેમ જ સહાનુભૂતિની લાગણી બતાવી છે. રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક તથા સુરેશ રૈના ઉપરાંત બૅડમિન્ટન-સ્ટાર પી. વી. સિંધુએ પણ આઘાત વ્યક્ત કર્યો છે.
ભારતના ટી-20 ટીમનો સુકાની અને 2025ની આઇપીએલના તમામ બૅટ્સમેનોમાં સેકન્ડ-હાઇએસ્ટ 717 રન કરનાર મુંબઈ ઇન્ડિયન્સનો સૂર્યકુમાર યાદવ (Suryakumar yadav) અમદાવાદની ઘટના વિશે સોશિયલ મીડિયામાં આઘાત વ્યક્ત કરનાર પહેલો હતો. ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ અને ટી-20 ખેલાડી રોહિત શર્મા (Rohit Sharma)એ તેમ જ ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ એક્સ' પરના ટવીટમાં શોક વ્યક્ત કરતો સંદેશ લખ્યો હતો. સૂર્યકુમારે સંદેશમાં લખ્યું હતું કે
અમદાવાદમાં ઍર ઇન્ડિયાના અમદાવાદ-લંડન પ્લેન ક્રેશની ઘટનાથી મને ખૂબ આઘાત લાગ્યો છે. મૃત્યુ પામેલાઓ વિશે મને જે દુઃખ થયું છે એ શબ્દોમાં વ્યક્ત કરી શકું એમ નથી. તેમના પરિવારજનો પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ વ્યક્ત કરું છું.’
રોહિત શર્માએ ઇન્સ્ટાગ્રામ પરના મૅસેજમાં લખ્યું હતું કે અમદાવાદની વિમાન દુર્ઘટનાથી મને ખૂબ આઘાત લાગ્યો છે. મૃત્યુ પામેલા લોકોના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનોને ઈશ્વર આ આપત્તિનો સામનો કરવાની હિંમત આપે એવી પ્રાર્થના કરું છું.' હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ
એક્સ’ પર લખ્યું હતું કે અમદાવાદની હોનારત વિશે જાણ થતાં જ હું આઘાતમાં ડૂબી ગયો હતો. આ દુર્ઘટનાના અસરગ્રસ્તો વિશે હું હૃદયપૂર્વક દુઃખ વ્યક્ત કરું છું અને તેમના પરિવારજનોને ઈશ્વર આ સંકટનો સામનો કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું
.
આ પણ વાંચો - ક્રેશ થયેલા વિમાનમાં અગાઉ પણ ખામી સર્જાઈ હતી! સોશિયલ મીડિયા…
' સુરેશ રૈનાએ તેમ જ દિનેશ કાર્તિક અને અફઘાનિસ્તાનના ઑલરાઉન્ડર રાશીદ ખાને પણ દુઃખ અને આઘાત વ્યક્ત કર્યા હતા. બે ઑલિમ્પિક મેડલ જીતી ચૂકેલી બૅડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુએ જણાવ્યું હતું કે
અમદાવાદમાં લંડન માટેની ઍર ઇન્ડિયાની ફ્લાઇટ (એઆઇ 171)ની ગમખ્વાર દુર્ઘટના વિશે જાણીને મને ખૂબ જ આઘાત લાગ્યો. 230 મુસાફરો અને 12 વિમાન કર્મચારીઓને લઈ જતું આ પ્લેન ક્રેશ થવાની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોના આત્માને ઈશ્વર શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ સૌથી ખરાબ સમયનો સામનો કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું.’