સ્પોર્ટસ

શનિવારે વર્લ્ડ કપ પહેલાંનું આખરી રિહર્સલ

તિરુવનંતપુરમઃ અહીં શનિવારે (સાંજે 7.00 વાગ્યાથી) ભારત અને ન્યૂ ઝીલૅન્ડ (New Zealand) વચ્ચે પાંચ મૅચવાળી ટી-20 સિરીઝની અંતિમ મૅચ રમાશે અને આ મુકાબલો બન્ને દેશ માટે ટી-20 વર્લ્ડ કપ પહેલાંનો અંતિમ ટી-20 મુકાબલો છે જે સૌથી અગત્યના રિહર્સલ જેવો બની રહેશે.

ભારત (India)ને ઓપનર સંજુ સૅમસનના નબળા ફૉર્મની ચિંતા છે તેમ જ વાઇસ-કૅપ્ટન અક્ષર પટેલની ઈજા વિશે પણ ટીમ ચિંતિત છે. જોકે ઇશાન કિશન ફરી ફિટ થઈ જતાં ટીમ સ્ટ્રૉન્ગ બની જશે. બીજી તરફ, ન્યૂ ઝીલૅન્ડની ટીમ જે સિરીઝ હારી ચૂકી છે એ પરાજયના માર્જિનને 1-3થી ઘટાડીને 2-3નું કરવા ઉત્સુક હશે.

વર્લ્ડ કપ સાતમી ફેબ્રુઆરીએ શરૂ થશે. ન્યૂ ઝીલૅન્ડની ટીમ ફિન ઍલનના કમબૅકથી મજબૂત બની છે. સ્પિનર ઇશ સોઢી ન્યૂ ઝીલૅન્ડના સૌથી સફળ ટી-20 બોલર ટિમ સાઉધીથી થોડો જ દૂર છે. સાઉધીના નામે 164 વિકેટ છે, જ્યારે સોઢી 162 વિકેટ લઈ ચૂક્યો છે.

સૂર્યકુમાર યાદવ હવે ફૉર્મમાં આવી ગયો છે. તે 33 રન કરશે એટલે ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં 3,000 રન પૂરા કરનાર 12મો ખેલાડી બનશે.

આ પણ વાંચો સિદ્ધેશ લાડની સીઝનમાં પાંચમી સેન્ચુરી

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button