IPL 2024સ્પોર્ટસ

ચેન્નઈ સામે હાર્યા પછી મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન માટે ગિલક્રિસ્ટે આપ્યું મહત્ત્વનું નિવેદન

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024)માં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે મુંબઈ ઈન્ડિયન્સ (MI) 20 રને હાર્યા પછી મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ મુદ્દે સવાલ કરવામાં આવી રહ્યા છે. હાર્દિક પંડ્યાએ આડેધડ વિવિધ બોલરની અજમાઈશ કરવાની સાથે છેલ્લી ઓવર (20મી ઓવર) ધુલાઈ કર્યા પછી પણ એને લોકોએ તેની ટીકા કરી હતી. ત્યાર બાદ ત્રણેય બેટર મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા અંગે લોકોની અલગ અલગ પ્રતિક્રિયા મળી રહી છે, જેમાં ઓસ્ટ્રેલિયન પૂર્વ ક્રિકેટર એડમ ગિલક્રિસ્ટે હાર્દિક પંડ્યા માટે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.

મેચ પછી પૂર્વ ઓસ્ટ્રિલયન ક્રિકેટર એડમ ગિલક્રિસ્ટે પંડયા માટે કહ્યું હતું કે મુંબઈ ટીમની ્ંદર અલગાવવાદ ઊભો થઈ રહ્યો એમ લાગે છે. હાર્દિક એકલો પડી ગયો એમ જણાય છે. શક્ય છે કે હાર્દિક પંડ્યા પોતાની આસપાસ સમર્થન મળી રહ્યું નથી.
ગિલક્રિસ્ટે કહ્યું હતું કે વિપક્ષી ટીમ અંગે પંડ્યાનું માનવું છે કે જીત માટે તેનું શ્રેય કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને શ્રેય આપતા નથી. ગાયકવાડને પણ ધોનીનો સારો એવો સપોર્ટ મળે છે. હાલના તબક્કે એટલું કહી શકાય કે મુંબઈ ઈન્ડિયન્સમાં અનિશ્ચિતતા અને ખેંચતાણ ચાલી રહી છે.

ગિલક્રિસ્ટે કહ્યું છે કે હાર્દિક પંડ્યા એકલો પડી ગયો છે. હાર્યા પછી મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ શાનદાર સદી ફટકાર્યા પછી પણ મુંબઈએ હાર્યું એનાથી અનેક મુદ્દા ઊભા થયા છે. ચેન્નઈની સામે મુંબઈની હાર પછી પંડ્યાએ સ્ટમ્પ પાછળથી મહેન્દ્ર સિંહ ધોનીના પ્રભાવની પ્રશંસા કરતા કહ્યું હતું કે મુંબઈ ઈન્ડિયન્સ માટે ટાર્ગેટ પ્રાપ્ત કરી શકાય એમ હતો, પરંતુ સારી બોલિંગ કરી હતી. પથિરાનાએ પોતાની યોજના અને દૃષ્ટિકોણનો ઉપયોગ કર્યો છે. સ્ટમ્પ પાછળથી ધોનીએ જે કાંઈ કહ્યું તેનો ઉપયોગ કર્યો અને તેની મદદ મળી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning