બૅટિંગ-કોચ સિતાંશુ કોટકે પ્રેક્ષકોને કેમ આવું કહ્યું? ` એક આદમી ઇન્ડિયા કે લિયે ઇતના બોલતા હૈ ઔર આપ હાય…હાય બોલ રહે હો’

ગુવાહાટીઃ બુધવારે અહીં ફરી એક વાર ઘરઆંગણાની ટેસ્ટ-સિરીઝમાં ભારતીય ટીમનો રકાસ થયો અને એમાં પણ ખાસ કરીને સાઉથ આફ્રિકા સામે 0-2થી ગુમાવેલી અહીંની અંતિમ ટેસ્ટ (Test)માં ટીમ ઇન્ડિયાએ 408 રનના વિક્રમજનક માર્જિનથી હાર જોવી પડી એને પગલે હતાશ પ્રેક્ષકો (Spectators)ના એક વર્ગે હેડ-કોચ ગૌતમ ગંભીર (Gambhir)નો હુરિયો બોલાવવાની શરૂઆત કરી દીધી હતી જેનો બૅટિંગ-કોચ સિતાંશુ કોટકે (Kotak)એ પ્રેક્ષકો પાસે જઈને તેમને જવાબ આપી દીધો હતો.
કોટક સહાયક-કોચ પણ છે. તેણે અને પેસ બોલર મોહમ્મદ સિરાજે ગૌતમ ગંભીરનો હુરિયો બોલાવી રહેલા પ્રેક્ષકોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે પણ દરમ્યાનગીરી કરવી પડી હતી જેને પગલે પ્રેક્ષકોની બૂમાબૂમ બંધ થઈ હતી.
આપણ વાચો: ભારત ઘરઆંગણે 12 વર્ષથી ટેસ્ટ-સિરીઝ નથી હાર્યું
ધમાલિયા પ્રેક્ષકો ગંભીર હાય...હાય' અને ગંભીર, ગો બૅક…’ની બૂમો પાડી રહ્યા હતા ત્યારે સિતાંશુ કોટક તેમની નજીક ગયો હતો અને ગંભીરનો બચાવ કરતા તેમને કહ્યું, ` એક આદમી ઇન્ડિયા કે લિયે ઇતના બોલતા હૈ ઔર આપ હાય…હાય બોલ રહે હો.’
When Indian fans were booing Gautam Gambhir after the shambolic home Test series loss, the batting coach asked them to stop by saying, “Aadmi India ke liye itna bolta hai aur aap ‘hai hai’ bol rahe ho.”
— Kusha Sharma (@Kushacritic) November 26, 2025
Why does this batting coach, Sitanshu Kotak, defend Gambhir so much? pic.twitter.com/wGTWj2E9L4
હેડ-કોચ ગૌતમ ગંભીરના કોચિંગમાં ભારત 18માંથી 10 ટેસ્ટ હાર્યું છે જેમાં બે વાઇટવૉશનો સમાવેશ છે. જોકે ગંભીરના કોચિંગમાં વાઇટ-બૉલ ક્રિકેટમાં (વન-ડે અને ટી-20માં) ભારતીય ટીમ સારું પર્ફોર્મ કરી રહી છે.
હવે ગૌતમ ગંભીર વન-ડે ટીમ સાથે રાંચી પહોંચી ગયો છે જ્યાં રવિવાર, 30મી નવેમ્બરે સાઉથ આફ્રિકા સામે સિરીઝની પ્રથમ વન-ડે રમાશે. ત્યાર બાદ સાઉથ આફ્રિકા સામે ત્રણ ટી-20 પણ રમાવાની છે.



