સ્પોર્ટસ

પરાજિત રોહિતસેનાને ‘સજા’: દિવાળીના દિવસોમાં બધાએ ફરજિયાત…

મુંબઈ: ભારતીય ટીમ ન્યૂ ઝીલેન્ડ સામે પહેલી બન્ને ટેસ્ટ હારી જતાં ન્યૂ ઝીલેન્ડને 70 વર્ષમાં પહેલી વાર ભારતની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતવા મળી ગઈ. 0-2ની આ હારના આ આઘાત બદલ રોહિત શર્માની કેપ્ટન્સી પર તો સવાલ ઉઠ્યા જ છે, ક્રિકેટ બોર્ડ એક્શન મોડમાં આવી ગયું છે.

હવે કિવીઓ સામે ત્રીજી અને છેલ્લી ટેસ્ટ શુક્રવાર, પહેલી નવેમ્બરથી વાનખેડેમાં રમાશે અને એ પહેલાં (દિવાળીના દિવસોમાં) ટીમ ઇન્ડિયાના બધા ખેલાડીઓને ફરજિયાત પ્રેક્ટિસ સેશનમાં હાજરી આપવાનું કહેવામાં આવ્યું છે.
એક અહેવાલ મુજબ હવે ખેલાડીઓએ દિવાળીના પર્વના દિવસોમાં પણ પ્રેક્ટિસ કરવી પડશે.
આ પ્રેક્ટિસ સેશન બુધવાર અને ગુરુવારે (30 અને 31મી ઓક્ટોબરે) યોજાશે અને એક અહેવાલ અનુસાર આ સેશન ટીમના દરેક ખેલાડી માટે ફરજિયાત છે.

કહેવાય છે કે કેપ્ટન રોહિત શર્મા, વાઇસ-કેપ્ટન જસપ્રીત બુમરાહ તેમ જ સિનિયર પ્લેયર વિરાટ કોહલી માટે પણ આ સેશન ફરજિયાત છે.
સામાન્ય રીતે પ્રેક્ટિસના સેશન અમુક ખેલાડીઓ માટે વૈકલ્પિક હોય છે, પરંતુ આ વખતે નિયમ કડક બનાવાયો છે.
વાનખેડેમાં પણ જો રોહિતની ટીમ હારી જશે તો ન્યૂ ઝીલેન્ડને 3-0થી ક્લીન સ્વીપ કરવાનો મોકો મળશે અને ટેસ્ટના વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચવા માટેના ભારતના પ્રયાસોને મોટો ધક્કો પહોંચશે.
આ બધુ જોતાં ખેલાડીઓને મૅચના દિવસ સુધી સઘન પ્રેક્ટિસ કરવાનું કહેવામાં આવ્યું છે.

Back to top button
ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker