સ્પોર્ટસ

પુજારાની વિકેટ એટલે માથાનો દુખાવો, મારો ચહેરો બદલાઈ જતોઃ રોહિત કેમ આવું કહે છે?

મુંબઈઃ ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પુજારાની પત્ની પૂજાએ લખેલા પુસ્તક ધ ડાયરી ઑફ અ ક્રિકેટર્સ વાઇફ'ના ગુરુવારે મુંબઈમાં અનાવરણ પ્રસંગે ભૂતપૂર્વ ટેસ્ટ ખેલાડી રોહિત શર્મા (ROHIT SHARMA)એ કહ્યું હતું કેમને બરાબર યાદ છે, જુનિયર ક્રિકેટના દિવસોમાં અમે (મુંબઈની ટીમ) જ્યારે સૌરાષ્ટ્ર સામે રમતા ત્યારે પુજારાને કેવી રીતે આઉટ કરવો મોટા ભાગે એ જ ચર્ચા અમારી ટીમ મીટિંગોમાં થતી હતી અને જો અમે તેને આઉટ નહોતા કરી શકતા તો પછી અમારે પરાજય જોવો પડતો હતો.’
પુજારા (PUJARA)એ 103 ટેસ્ટમાં 19 સેન્ચુરી અને 35 હાફ સેન્ચુરીની મદદથી 43.60ની સરેરાશે 7,195 રન કર્યા છે.

પુજારા 37 વર્ષનો છે. તેને બે વર્ષથી ભારત વતી નથી રમવા મળ્યું. રોહિત શર્મા (ROHIT SHARMA) અને વિરાટ કોહલી ટેસ્ટમાંથી નિવૃત્ત થઈ જતાં તેને ફરી રમવાનો મોકો મળશે એવું માનવામાં આવતું હતું, પરંતુ ઇંગ્લૅન્ડ સામેની આગામી સિરીઝમાં પણ તેને તક નથી અપાઈ.

રોહિતે જુનિયર ક્રિકેટની વાત કરતા વધુમાં કહ્યું હતું કે હું 14 વર્ષનો હતો અને પુજારાની સૌરાષ્ટ્રની ટીમ સામે રમતો ત્યારે તે અમને એટલો બધો થકવી નાખતો કે વાત ન પૂછો. તે બે-ત્રણ દિવસ બૅટિંગ કરતો અને અમે સૂરજની અસહ્ય ગરમીમાં ફીલ્ડિંગ કરતા રહેતા હતા. મારી મમ્મી મને કહેતી કે તું ઘરેથી જાય છે ત્યારે તારો ચહેરો જેવો હોય છે એની તુલનામાં તું અઠવાડિયા બાદ રમીને પાછો આવે ત્યારે સાવ બદલાઈ ગયો હોય છે.

આ પણ વાંચો -‏‏‎ ભારત-ઈંગ્લૅન્ડ ટેસ્ટ સિરીઝની ટ્રોફીને હવે મળ્યું આ ભારતીય લેજન્ડનું નામ…

હું તેમને કહેતો કે જુઓને, ચેતેશ્વર પુજારા નામનો બૅટ્સમૅન ત્રણ-ત્રણ દિવસ સુધી બૅટિંગ કર્યા કરે તો અમે શું કરીએ?' પુજારાને કરીઅરની શરૂઆતમાં જ બન્ને ઘૂંટણમાં એસીએલ (ઍન્ટીરિયર ક્રૂસિયેટ લિગામેન્ટ) પ્રકારની ઈજા નડી હતી. રોહિતે સમારંભમાં કહ્યું કેનાનપણમાં અમે પુજારાને તેની દોડવાની સ્ટાઇલ વિશે ચીડવતા હતા, પણ એ ઈજા છતાં તે 100-પ્લસ ટેસ્ટ રમ્યો. તેના પૅશનને સલામ છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button