સ્પેશિયલ ફિચર્સ

શિવલિંગની આટલી મહત્તા શા માટે?

મુકેશ પંડ્યા

પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ ગયો છે. ૨૦૨૪માં આવેલા આ મહિનાની વિશેષતા એ છે કે ગઇ કાલે સોમવારથી શરૂ થયો અને મહિનાનો અંત પણ શ્રાવણિયા સોમવારથી થશે. આમ તો શ્રાવણ મહિનામાં ઘણા વ્રતો તહેવારો આવે છે, પણ શ્રાવણિયા સોમવારે તો ભગવાન શિવનું જ મહિમા મંડન થતું હોય છે. મંદિરોમાં શિવલિંગને પૂજવા વહેલી સવારથી ભક્તોની લાંબી લાઇનો લાગે છે. તેના પર જળાભિષેક અને દુગ્ધાભિષેક કરવામાં આવે છે. કેટલાક લોકો આ જાતના અભિષેકથી દૂધ વેડફાય છે તેવી ભાવનાથી પ્રેરાઇને તેનો વિરોધ પણ કરે છે. છતાંય ભક્તોનો શ્રાવણિયા સોમવારનો ઉત્સાહ થમતો નથી. જોકે,હકીકત એ છે કે પહેલાંના સમયમાં ભારતમાં દૂધ-ઘીની નદીઓ વહેતી હતી. નાનામાં નાના માણસને આંગણે પણ ગાયો બંધાયેલી રહેતી. રાજાઓના મહેલોમાં પણ ગાયો પળાતી તો વનમાં ઋષિમુનિઓ પણ આશ્રમમાં ગાયો પાળીને રહેતા. એ વખતે દાળ-શાકનું ચલણ એટલું ન હોતું, પણ લોકો દૂધ-ઘી -છાશ સાથે પ્રેમપૂર્વક રોટલો ખાતાં અને બીજાને પણ ખવડાવતા. છાશ તો હજી હમણાં સુધી મફતમાં વેચાતી હતી. પોતે જે આરોગે એ ભગવાનને પણ ધરવું જોઇએ. પોતે સ્નાન કરે તેમ ભગવાનને પણ સ્નાન કરાવવું જોઇએ એવી દૃઢ માન્યતા હતી. શિવલિંગ શું છે અને શા માટે આટલી પૂજા કરવામાં આવે છે? શંકરનાં કાર્યોને કેવી રીતે વ્યાકરણ, સંગીત, વિજ્ઞાન, નાદશાસ્ત્ર, અણુવિજ્ઞાન કે નૃત્યશાસ્ત્ર સાથે સંબંધ છે. શિવલિંગની ધાર્મિક રીતે અને વૈજ્ઞાનિક રીતે શું ભૂમિકા છે એ આબાલવૃદ્ધ સહુ કોઇ સરળતાથી સમજી શકે એ રીતે આપણે પૂરો શ્રાવણ મહિનો શિવમહિમાનું આજની દૃષ્ટિએ રસપાન કરીશું. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો… હિંદુ પરિવારમાં જન્મી, પણ છે આ અભિનેત્રી મુસ્લિમ સામે ઊભા હોવ તો પણ દૂધ ઉભરાઈ જાય છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ… આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે