સ્પેશિયલ ફિચર્સ

યુદ્ધ કે સાઈડ ઈફેક્ટઃ 1971ના યુદ્ધ વખતે શું હતી લોકોની સ્થિતિ?

સાયરનની ચેતવણી વખતે લોકો શું કરતા હતા, જાણી લો અજાણી વાતો

નવી દિલ્હી: પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. બંને દેશનાં સબંધોમાં આવેલ તણાવની સ્થિતિમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આ તણાવભરી સ્થિતિને જોતાં 54 વર્ષ પહેલાં 1971માં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાયું હતું, તે પરિસ્થિતિની ખાસ યાદ આવી જાય છે. તે સમયે દેશભરમાં લોકો કેવી રીતે સાવચેતી રાખતા હતા? કેવું વાતાવરણ હતું? તે બાબતથી વાકેફ ઘણા વૃદ્ધ કે પ્રૌઢ લોકો હશે. તે સમયે વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની દુર્ગા જેવી છબી બની હતી અને તેમના નેતૃત્વને કડક અને નિર્ણાયક માનવામાં આવ્યું હતું.

1971ના ભારત-પાક યુદ્ધ સમયે સાંજ થતાં જ ઘરોમાં અંધારું છવાઈ જતું હતું. સામાન્ય રીતે લોકોના ઘરોની લાઈટ ચાલુ રહેતી નહોતી, કારણ કે એવું માનવામાં આવતું હતું કે શહેરોમાં અંધારૂ રાખવામાં આવે જેથી જો દુશ્મનનું વિમાન ત્યાં આવી પણ જાય તો તેને નીચે કંઈ દેખાય નહીં. સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા નાગરિકોને એર રેડ પ્રોટોકોલ સમજાવવામાં આવ્યા હતા કે હુમલો થવા પર ક્યાં છુપાવું, કેવી રીતે બત્તી બંધ કરવી.

સાંજે છવાઈ જતો હતો અંધારપટ

દિલ્હી, મુંબઈ, કોલકાતા અને અમૃતસર જેવા મોટા શહેરોમાં રાત્રે અંધારપટ છવાય જતો હતો. લોકો ભૂલથી પણ ઘરોની લાઈટ ચાલુ કરતા નહોતા. એટલું જ નહીં ઘરોના બારી-બારણાં પર કાળા રંગના પડદા લગાવવામાં આવ્યા હતા. સ્ટ્રીટ લાઈટો બંધ કરી દેવામાં આવતી હતી અને ચારેકોર અંધારું થઈ જતું હતું. આવું એટલા માટે કરવામાં આવતું હતું કે દુશ્મનના હવાઈ જહાજ શહેરની સ્થિતિ જાણી ન શકે. જો કે એવું પણ નહોતું કે દરેક જગ્યાએ સંપૂર્ણ ઘોર અંધારું જ રહેતું હતું, ઘણી ઓછી જરૂરી જગ્યાઓ પર રાત્રે માત્ર જરૂરી જાહેર લાઈટો જ ચાલુ રાખવામાં આવતી હતી.

War or side effect: What was the condition of the people during the 1971 war?

શહેરમાં એર રેડ સાયરન

દરેક શહેરમાં એર રેડ સાયરન લગાવવામાં આવ્યા હતા. હુમલો થવા પર સાયરન વાગતું. લોકોને તરત જ બંકર અથવા સુરક્ષિત સ્થળે જવાની સલાહ આપવામાં આવતી હતી. આ એક મોટી વીજળીથી ચાલતી સાયરન મશીન હોય છે, જે ખૂબ જ તીવ્ર અવાજ કરે છે. તેનો અવાજ દૂર સુધી સંભળાય છે. સામાન્ય રીતે ફેક્ટરી અને ખાણવાળા વિસ્તારોમાં આ સાયરન શિફ્ટ શરૂ થવાની સૂચના હજી પણ આપે છે. પરંતુ તેમનો અવાજ અલગ પ્રકારનો હોય છે.

સરહદી વિસ્તારોમાં બોમ્બ શેલ્ટર બનાવવામાં આવ્યા હતા, ખાસ કરીને અમૃતસર, જમ્મુ અને શ્રીનગર જેવા શહેરોમાં. આ જમીનની નીચે બનાવવામાં આવ્યા હતા, જેથી તેમના પર કોઈપણ પ્રકારના બોમ્બની અસર ન થાય. તે યુદ્ધમાં મોટા પાયે પંજાબ, રાજસ્થાન, જમ્મુ અને બંગાળના સરહદી વિસ્તારોના ઘણા ગામોને ખાલી કરાવવામાં આવ્યા હતા.

માહિતી પહોંચાડવા રેડિયોની ભૂમિકા

1971માં લોકો સુધી માહિતી પહોંચવાનું માધ્યમ રેડિયો જ હતું. ભારતમાં ઓલ ઈન્ડિયા રેડિયો (AIR) યુદ્ધનું મુખ્ય માહિતી માધ્યમ હતું. તેના પર દર કલાકે યુદ્ધ બુલેટિન, સરકારી જાહેરાતો અને દેશભક્તિ ગીતો ચાલતા રહેતા હતા. મોટા શહેરોમાં અફવા નિયંત્રણ કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા જેથી ખોટા સમાચાર અને દહેશત ફેલાતી અટકાવી શકાય. હવે તો માહિતીનું માધ્યમ ઘણું વધી ગયું છે. તરત જ સમાચાર પહોંચાડનારા ટીવી, ઇન્ટરનેટની પહોંચ ઘરે ઘરે સુધી છે.

મહત્વપૂર્ણ ઇમારતો અને સંસ્થાઓની સુરક્ષા

મિલિટરી થાણાં, રેલ્વે સ્ટેશન, તેલ રિફાઇનરી, બંદરો અને મોટી ફેક્ટરીઓની સુરક્ષા વધારવામાં આવી હતી. રાત્રે ટ્રેનો હેડલાઇટ વગર ચાલતી હતી. સિગ્નલ દ્વારા સંપર્ક રાખતી હતી. રાત્રે પેસેન્જર વિમાનો ચાલતા નહોતા. ઘણી ફેક્ટરીઓને કેમોફ્લાજ એટલે કે છુપાવનારા પડદા અને રંગોથી ઢાંકી દેવામાં આવી હતી.

War or side effect: What was the condition of the people during the 1971 war?

શહેરોમાં જિંદગી કેવી હતી

યુદ્ધનો તણાવ દરેક જગ્યાએ અને દરેક ચહેરા પર દેખાતો હતો. લોકો ચિંતિત રહેતા હતા કે શું થશે. અખબારોનું વેચાણ ખૂબ વધી ગયું હતું. લોકો ખૂબ અખબારો વાંચતા હતા જેથી યુદ્ધ સંબંધિત દરેક માહિતી જાણી શકાય. સાથે જ દરેક જગ્યાએ દેશભક્તિનું વાતાવરણ પણ દેખાતું હતું. એટલે કે ડર પણ હતો અને બીજી તરફ દેશભક્તિનું જોરદાર વાતાવરણ પણ. દરેક ગલી-મહોલ્લામાં જય હિન્દ, ભારત માતા કી જયના નારા અને પોસ્ટર લાગેલા રહેતા. દિવાલો પર તેનાથી સંબંધિત સૂત્રો હોય છે. નાગરિકો રક્તદાન શિબિર અને સૈનિક પરિવારોના સહાયતા શિબિરમાં ભાગ લેતા હતા.

પેટ્રોલથી લઈને ખાવા પર રાશનિંગ

1971 એટલે કે 70ના દાયકાના શરૂઆતના વર્ષો દેશમાં અભાવોનો જ સમય હતો. પેટ્રોલ, કેરોસીન અને અનાજની સાથે ખાંડનું રાશનિંગ લાગુ થઈ ગયું. મોટા શહેરોમાં ખાવા-પીવાની ચીજોની લાઈનો લાગતી હતી, જોકે સ્થિતિ ક્યારેય એટલી ખરાબ નહોતી થઈ કે લોકો ભૂખ્યા રહે. ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન ભારતને આર્થિક અને ખાદ્ય પડકારોનો સામનો કરવો પડ્યો હતો, જેનાથી કેટલીક આવશ્યક વસ્તુઓની અછત થઈ ગઈ હતી. સરકારે રાશનિંગ પ્રણાલી લાગુ કરવી પડી હતી.

અમેરિકા હતું પાકિસ્તાનની પડખે

તે સમયે અમેરિકા પાકિસ્તાનની પડખે ઉભુ રહ્યું હતું, તેણે ભારત પર આર્થિક પ્રતિબંધોની ધમકી આપી હતી અને તેની આયાત પર અસર પડી હતી. ત્યાં સુધી આપણે ખાદ્ય ઉત્પાદનના મામલે આત્મનિર્ભર નહોતા થયા. તે જ વર્ષે વૈશ્વિક તેલ સંકટની સ્થિતિ પણ ઊભી થઈ, જેનાથી પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતો વધી ગઈ અને પુરવઠો પ્રભાવિત થયો. આ કારણે સરકારે વાહનો માટે પેટ્રોલ રાશનિંગ લાગુ કર્યું. પેટ્રોલની અછતને કારણે બસો અને ખાનગી વાહનોનું ચાલવું ઓછું થઈ ગયું હતું અને લોકો સાયકલ અથવા પગપાળા ચાલવા માટે મજબૂર હતા.

રાશનની દુકાનો પર લાંબી કતારો

ત્યારે વનસ્પતિ ઘી અને રિફાઇન્ડ તેલની પણ અછત થઈ ગઈ હતી, કારણ કે તે સામાન્ય રીતે આયાત થતું હતું. ખાંડનું ઉત્પાદન ઓછું થવા અને વિતરણ પ્રણાલી અસ્તવ્યસ્ત થવાથી રાશન કાર્ડ દ્વારા વિતરણ કરવામાં આવતું હતું. ઘઉં અને ચોખાની પણ અછત હતી, તેથી રાશનની દુકાનોમાંથી મર્યાદિત માત્રામાં અનાજનું વિતરણ થતું હતું. જો કે આ સમયગાળામાં રાશન કાર્ડનો ઉપયોગ વધી ગયો હતો. રાશનની દુકાનો પર લોકોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડતું હતું.

એવું નથી કે બધા લોકોએ દેશની સ્થિતિને સમજીને સહકાર આપ્યો હતો પરંતુ તે સમયગાળામાં કેટલાક વેપારીઓએ આવશ્યક સામગ્રીને છુપાવીને મોંઘા ભાવે વેચી હતી, કાળાબજારી કરી હતી. જેનાથી સામાન્ય લોકોને મુશ્કેલી થઈ હતી. કાપડ ઉદ્યોગ પણ પ્રભાવિત થયો હતો, જેનાથી કપડાંની ઉપલબ્ધતા ઓછી થઈ હતી. આ અભાવોએ બાદમાં ભારતને આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધવા પ્રેરણા આપી હતી.

આ પણ વાંચો આ જગ્યાએ આવેલો છે સોનાનો અખૂટ ખજાનો, તમે ઉપાડતા થાકી જશો પણ…

રેડિયો અને દેશભક્તિવાળી ફિલ્મો લોકપ્રિય બની

તે સમયે ટેલિવિઝનનું ચલણ એટલું વ્યાપક નહોતું. રેડિયો અને ફિલ્મોમાં દેશભક્તિનો જોરદાર ઉભાર આવ્યો હતો. લતા મંગેશકરનું ‘એ મેરે વતન કે લોગોં’ ફરીથી લોકપ્રિય થયું, સિનેમાઘરો યુદ્ધ પર આધારિત ફિલ્મો બતાવતા હતા અને ઓલ ઈન્ડિયા રેડિયો પરથી દેશભક્તિના ગીતો પ્રસારિત થતા હતા. સૌથી વધુ નિર્ભરતા રેડિયો પર હતી, જે સતત બુલેટિનનું પ્રસારણ કરતું હતું, જેના પર યુદ્ધ સબંધી સમાચારોનું પ્રસારણ કરવામાં આવતું હતું. કવિ, લેખક અને કલાકારોએ દેશભક્તિ ગીતો, કવિતાઓ અને નાટકો દ્વારા લોકોને પ્રેરિત કર્યા હતા.

War or side effect: What was the condition of the people during the 1971 war?

આખી રાત લોકો રેડિયો સાથે ચોંટેલા રહ્યા

જ્યારે 4 ડિસેમ્બર 1971ની રાત્રે ભારતીય નૌસેનાએ ‘ઓપરેશન ટ્રાઇડેન્ટ’માં કરાચી બંદર પર હુમલો કર્યો હતો, ત્યારે મુંબઈમાં તરત જ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું. લોકો આખી રાત રેડિયો સામે બેઠા રહ્યા, એ જાણવા માટે કે શું કરાચી પરનો હુમલો સફળ રહ્યો.

મોક ડ્રિલ અને ભાગીદારી

શાળા-કોલેજોમાં સિવિલ ડિફેન્સ ડ્રિલ કરાવવામાં આવતી. બાળકોને સાયરન સાંભળવાની ઓળખ શીખવવામાં આવતી. નિવૃત્ત સૈનિકો અને એનસીસીના કેડેટ શહેરોમાં મદદ માટે તૈનાત કરવામાં આવ્યા હતા. લોકોમાં લોહીનું દાન વધ્યું. રાહત સામગ્રી એકઠી કરવામાં આવતી હતી.

આ પણ વાંચો પાકિસ્તાનને ભારતનો ડર; શરીફ સરકાર સંરક્ષણ બજેટમાં કરોડો રૂપિયાનો વધારો કરશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button