અમીર બનાવશે વાસ્તુશાસ્ત્રના આ ઉપાય, ઘરમાં તરત જ લાવી દો આ 4 વસ્તુ...
સ્પેશિયલ ફિચર્સ

અમીર બનાવશે વાસ્તુશાસ્ત્રના આ ઉપાય, ઘરમાં તરત જ લાવી દો આ 4 વસ્તુ…

દુનિયામાં તમને ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ મળશે કે જેને અમીર બનવાની ઈચ્છા ના હોય. જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં ધનની કમી ના થાય તો એના માટે વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવેલા આ ઉપાયોને અજમાવવા જોઈએ. ચાલો જોઈએ કયા છે આ ઉપાયો-

વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર ઘરની દરેક વસ્તુનો સંબંધ પોઝિટિવ અને એનર્જી સાથે હોય છે. ઘરમાં કેટલીક વસ્તુઓને રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

આજે અમે અહીં વાત કરી રહ્યા છીએ કેટલીક એવી વસ્તુઓની જે અમીર લોકોના ઘરોમાં ચોક્કસ હોવી જોઈએ. એવી માન્યતા છે કે આ વસ્તુઓને ઘરમાં રાખવાથી માતા લક્ષ્મીની કૃપા રહે છે અને ધન-ધાન્યમાં વૃદ્ધિ થાય છે.

કામધેનુ ગાયઃ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કે દુકાનમાં કામધેનુ ગાયની પ્રતિમા રાખવી જોઈએ. આ પ્રતિમા રાખવાથી સકારાત્મક ઊર્જા જળવાઈ રહી છે. ઘરમાં ખુશહાલીનો માહોલ જોવા મળે છે. અમીર લોકોના ઘરમાં તમને આ એક વસ્તુ ચોક્કસ જોવા મળી શકે છે.

કાચબોઃ

કામધેનુ ગાય બાદ વાસ્તુશાસ્ત્રમાં કાચબાને સુખ-સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. આ જ કારણસર અનેક લોકો ઘરમાં કાચબો રાખે છે. ઘરની ઉત્તર દિશામાં પિત્તળ કે ક્રિસ્ટલનો કાચબો લાવીને મૂકી શકો છો.

હાથીઃ

વાસ્તુશાસ્ત્રમાં હાથીને શક્તિ, ધન અને વૈભવનું પ્રતિક માનવામાં આવે છે. ઘરમાં પિત્તળ, તાંબા કે ચાંદીનો હાથી રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તો ઘરમાં એક હાથીની મૂર્તિ ચોક્કસ રાખો.

પિરામિડઃ

લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે ઘરમાં ધાતુનો પિરામિડ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે. પિરામિડ રાખવાથી ઘરની નકારાત્મક એનર્જી દૂર થાય છે અને ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે.

આ પણ વાંચો…ઘરમાં આ પાંચ પક્ષીઓનું આવવું છે શુભ, ધનલાભ અને ખુશીઓનો આપે છે સંકેત…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button