ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

Shukra Pradosh Vrat: સુખી દાંપત્ય જીવન માટે આજે કરો ભોળાનાથની પૂજા, જાણો પ્રદોષ વ્રત મુહૂર્ત અને પુજા વિધિ

આજે એટલે કે 22મી માર્ચે પ્રદોષ વ્રત રાખવામાં આવશે. દર મહિનાના કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ પ્રદોષ વ્રત રાખવાનો નિયમ છે. આ દિવસે ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, પ્રદોષ વ્રતનું પાલન કરવાથી દરેક પ્રકારના દેવામાંથી મુક્તિ મળે છે અને શુભ ફળ મળે છે. તમને જણાવી દઈએ કે પ્રદોષ વ્રતનું નામ વાર પ્રમાણે બદલાય છે. જો પ્રદોષ વ્રત સોમવારે પડે તો તેને સોમ પ્રદોષ કહેવાય છે. આ વખતે પ્રદોષ વ્રત શુક્રવારે છે તેથી તેને શુક્ર પ્રદોષ કહેવામાં આવશે. એવું કહેવાય છે કે શુક્ર પ્રદોષનું વ્રત કરવાથી દામ્પત્ય જીવનમાં સૌભાગ્ય અને ખુશીઓ આવે છે. તેમજ ભગવાન શિવ અને માતા ગૌરીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

પ્રદોષ વ્રતના દિવસે સૂર્યોદય પહેલા જાગી જવું, સ્નાન વગેરે કરવું અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા. આ પછી ભગવાન શિવની પૂજા શરૂ કરો. આ દિવસે ભગવાન શિવને બિલી પત્ર, ફૂલ, અગરબત્તી, દીવો અને ભોગ વગેરે અર્પિત કર્યા પછી શિવ મંત્રનો જાપ કરો. તમને જણાવી દઈએ કે કોઈપણ પ્રદોષ વ્રતમાં પ્રદોષ કાલનું ઘણું મહત્વ હોય છે.

ત્રયોદશી તિથિમાં, રાત્રિના પ્રથમ કલાક, એટલે કે સૂર્યાસ્ત પછીના સમયને પ્રદોષ કાલ કહેવામાં આવે છે. સવારે પૂજા વગેરે કર્યા પછી પ્રદોષ કાળમાં પણ આ જ રીતે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. આ રીતે જે વ્યક્તિ ભગવાન શિવની આરાધના કરે છે અને પ્રદોષ વ્રત રાખે છે, તેના જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અને શ્રેષ્ઠ સંસારની પ્રાપ્તિ થાય છે.

એવું કહેવાય છે કે પ્રદોષ વ્રતના દિવસે જે વ્યક્તિ ભગવાન શંકરનું વ્રત કરે છે અને પૂજા કરે છે અને શિવ મૂર્તિના દર્શન કરે છે, તેના પર ભગવાન શિવની કૃપા હંમેશા બની રહે છે. તેથી, આજે રાત્રિના પહેલા ભાગમાં ભગવાન શિવને કંઈક અર્પણ કરવું જોઈએ.

શુક્ર પ્રદોષ વ્રત 2024 શુભ મુહૂર્ત

ફાગણ માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિનો પ્રારંભ – 22મી માર્ચ સવારે 8.21 કલાકથી
ત્રયોદશી તિથિ સમાપ્ત થાય છે – 23 માર્ચે સવારે 6:11 વાગ્યે
પ્રદોષ વ્રત તારીખ- 22 માર્ચ 2024

શું કરવુ શું ન કરવું?

પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવને બિલી પત્ર અને ધતુરા અવશ્ય અર્પણ કરો.
ભગવાન શિવને ફળ અને સૂકો મેવો અર્પણ કરો
શિવ ચાલીસા અને મંત્રોનો જાપ કરો
ભગવાન શિવ સાથે દેવી પાર્વતીની પૂજા કરો
મા ગૌરીને સિંદૂર લગાવવાનું ભૂલશો નહીં.
ભૂલથી પણ શિવલિંગ પર સિંદૂર, હળદર અને તુલસી ન ચઢાવો.

નોંધ: આ લેખ વાચકોની રુચિને ધ્યાનમાં રાખીને ધાર્મિક માન્યતાઓને આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ લેખમાં કરેલા દાવા સાથે લેખક કે સંસ્થા સંપૂર્ણપણે સહમત છે તેવું માની લેવું નહીં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી