જ્વેલર્સ સોના-ચાંદીના દાગિના કેમ ગુલાબી રંગના કાગળમાં લપેટીને આપે છે?

આપણામાંથી મોટાભાગના લોકોએ ક્યારેકને ક્યારેક તો સોના-ચાંદીના દાગિનાની ખરીદી કરી જ હશે, હં ને? જો તમે ધ્યાનથી જોયું હશે સોની હંમેશા દાગિના પિંક કલરના પાતળા કાગળમાં જ લપેટીને પાકિટમાં કે બોક્સમાં આપે છે.
પરંતુ શું તમને ક્યારેય એવો સવાલ થયો છે ખરો કે આખરે આવું કેમ? આના પાછળનું કારણ શું છે? ચાલો તમને આ પાછળનું કારણ જણાવીએ-
જ્વેલર્સની દુકાનમાંથી તમે જ્યારે દાગિના ખરીદો છો ત્યારે તે સોના કે ચાંદીના દાગિનાને ગુલાબી રંગના કાગળમાં લપેટીને આપે છે. દરેક સોનીના દુકાનમાં આ કાગળ ચોક્કસ જોવા મળે છે.
વર્ષો બાદ આજે પણ સોની આ જ કાગળમાં ખરીદનારને દાગિના આપે છે. જ્યારે આ પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે જે જાણવા મળ્યું એ ચોંકાવનારું હતું.
મુંબઈના એક જાણીતા જ્વેલર્સે આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આનું કોઈ ચોક્કસ કારણ તો નથી, પરંતુ આ ખૂબ જ જૂની પરંપરા છે.
જૂના જમાનાથી આ ચાલ્યું આવ્યું છે અને ત્યારથી જ આજે પણ આ પરંપરા એમની એમ જ છે. જોકે, જૂના સમયમાં ઘરેણાંઓને સ્ક્રેચ પડવાથી કે તેને નુકસાન થતું બચાવવા માટે કરવામાં આવે છે.
આ ગુલાબી રંગના કાગળમાં હળવી ધાત્વિક ચમક હોય છે, જેને કારણે તેના પર મુકેલા ઘરેણાં વધારે ઉઠીને અને સુંદર દેખાય છે. જ્યારે એ જ ઘરેણાં કોઈ બીજા કાગળમાં મૂકવામાં આવે તો તે એટલા આકર્ષક નથી દેખાતા. પેકિંગના રંગ અને સામગ્રીની વસ્તુની સુંદરતા પર અસર જોવા મળે છે.
બસ, આ જ કારણ છે કે સોની દ્વારા દાગિનાને રાખવા માટે ગુલાબી રંગના આ ખાસ કાગળનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી ઘરેણાંઓની ચમક જળવાઈ રહે અને ગ્રાહક પર તેની સારી અસર જોવા મળે.