સ્પેશિયલ ફિચર્સ

Health: જેટલા દર્દ તેટલી દવાઓઃ તમારી સમસ્યાઓનું નિવારણ છે આ પાણી

રોજ સવારે નૈણા કોઠે એટલે કે વહેલી પરોઢે અને ખાલી પેટે શું ખાવું અને શું પીવું તે વિશે ઘણું કહેવાતું હોય છે, પણ દરેક માટે દરેક ઈલાજ કામનો હોતો નથી. માણસે માણસે સમસ્યા-રોગ અલગ હોય તો પછી ઈલાજ કઈ રીતે એક હોઈ શકે. તો ચાલો અમે તમને આજે એવા અલગ અલગ પાણી વિશે જણાવશું જે તમે તમારી શારીરિક સમસ્યા અનુસાર લઈ શકો. અને હા, આ પાણી તમારે તમારા રસોડાની વસ્તુઓથી જ બનાવવાના છે. તમારું રસોડું તમારી માટે દવાનો બંદોબસ્ત કરી નાખશે.

પાચનની સમસ્યા દૂર કરવાઃ –

સવારે અજમાનું પાણી પીવાથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે. આ શરીરમાંથી એકઠા થયેલા ટોક્સિન્સને દૂર કરે છે અને પાચનમાં મદદ કરે છે. તેનાથી ગેસ અને એસિડિટીની સમસ્યા ઓછી થાય છે.

કબજિયાત દૂર કરવાઃ

કાળી દ્રાક્ષ કે સૂકી દ્રાક્ષ પાણીમાં છએક કલાક પલાળી રાખી તે દ્રાક્ષ સાથે પાણી પીવું. કાળી દ્રાક્ષ ફાઇબરનો સારો સ્ત્રોત છે જે સ્ટૂલમાં પાસ કરવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી આંતરડા પણ સાફ થાય છે અને કબજિયાતમાં રાહત મળે છે.

ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ માટેઃ –

પાણીમાં તજ પાવડર નાખી પીવાથી શરીરને એન્ટિબાયોટિક અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી તેમજ એન્ટિઓક્સિડન્ટ્સ મળે છે. ન્યુટ્રિશનિસ્ટ્સ અનુસાર, તજનું પાણી પીવાથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સમાં મદદ મળે છે. ડાયાબિટિક પેશન્ટ માટ ઘણું લાભાદાયક છે.

આ પણ વાંચો : Health: Uric Acidની ગંભીર સમસ્યા નિવારવાનો આ છે સરળ ઉપાય

થાઈરોઈડ માટેઃ
આખા ધાણા થાઈરોઈડ સહિત શરીરને ઘણા ફાયદા આપે છે. મેથીના દાણામાં A, C, K અને ફોલેટની સાથે ઘણા એન્ટી-ઓક્સિડેન્ટ હોય છે જે થાઈરોઈડની સાથે વજન ઘટાડવામાં અસરકારક છે.

PCOS માટેઃ

પીસીઓએસની સમસ્યામાં મેથીના દાણા (મેથીના દાણા)નું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે. મેથીનું સેવન કરવાથી માસિક ચક્રમાં સુધારો થાય છે અને પીરિયડ્સ નિયમિત બને છે.

બળતરા અને શરીરના દુખાવા માટેઃ –
હળદરના સ્વાસ્થ્ય અને ત્વચા બંને માટે ઘણા ફાયદા છે. હળદર ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિ-ઓક્સિડન્ટ અને એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે જે હાડકાંમાં દુઃખાવો અને બળતરાને દૂર કરે છે.

હૃદયને સ્વસ્થ રાખવા માટેઃ
કાલી ઈલાઈચી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણોથી ભરપૂર છે. આ એલચીનું પાણી પીવાથી ઈમ્યુનિટી મજબૂત બને છે અને બેક્ટેરિયલ ઈન્ફેક્શન દૂર થાય છે. કાળી એલચીના પાણીની અસર હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં પણ મદદરૂપ થાય છે. આ એલચીનું પાણી બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે.

ફેટી લિવર અને મેટાબોલિઝમ માટેઃ –
આદુંને ડાયટમાં બહોળા પ્રમાણમાં સામેલ કરવામાં આવે છે અને તેના વગર ચાનો સ્વાદ તો રહેતો નથી, પરંતુ આદુંના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. આદુંના બળતરા વિરોધી ગુણધર્મો ફેટી લીવરની સમસ્યાઓ ઘટાડવામાં અને પાચનને સુધારવામાં મદદ કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ