સ્પેશિયલ ફિચર્સ

આજે મોક્ષદા એકાદશી કરવાથી જીવનની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે….

માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું અને આ દિવસે ગીતા જયંતિ પણ ઉજવવામાં આવે છે. ગીતામાં કહેવામાં આવ્યું છે કે મોક્ષદા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને મોક્ષ મળે છે અને પિતૃઓને પણ મોક્ષ મળે છે. પંચાંગ અનુસાર, આ વર્ષે મોક્ષદા એકાદશીનું વ્રત 22 ડિસેમ્બર 2023, શુક્રવારના રોજ એટલે કે આજે કરવામાં આવશે. એકાદશી વ્રતનો વિશેષ મહિમા હિંદુ ધાર્મિક ગ્રંથોમાં વર્ણવવામાં આવ્યો છે અને કહેવાય છે કે આ વ્રત રાખવાથી વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત વ્યક્તિ મૃત્યુ પછી મોક્ષ પણ પ્રાપ્ત કરે છે. તો આજે તમને મોક્ષદા એકાદશી વ્રતના ફાયદા અને પૂજાની સાચી રીત જણાવું.

મોક્ષદા એકાદશી વ્રતનો લાભ
હિન્દુ ધર્મમાં દરેક એકાદશીનું મહત્વ છે અને મોક્ષદા એકાદશીનું વ્રત સૌથી વિશેષ માનવામાં આવે છે. આ વ્રત રાખવાથી તમામ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃઓ પણ પ્રસન્ન થાય છે.
મોક્ષદા એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ આ દિવસે ગીતાનો પાઠ કરવો જોઈએ. તેનાથી શુભ ફળ મળે છે અને વ્યક્તિની બધી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.


મોક્ષદા એકાદશીનું વ્રત કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે.
સનાતન ધર્મમાં મોક્ષદા એકાદશી વ્રતનું વિશેષ મહત્વ માનવામાં આવે છે અને આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. એવું કહેવાય છે કે તેનાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ મળે છે. તેમજ જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. મોક્ષદા એકાદશી વ્રતના નામ પ્રમાણે આ દિવસે વ્રત રાખવાથી અને પૂજા કરવાથી વ્યક્તિ માટે મોક્ષના દ્વાર ખુલી જાય છે અને વ્યક્તિને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે.


મોક્ષદા એકાદશીની પૂજા પદ્ધતિ
આ દિવસે સવારે સ્નાન કર્યા બાદ લોકો વ્રત અને વિષ્ણુની પૂજા કરે છે. ત્યારબાદ ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રને પૂજા સ્થાન પર સ્થાપિત કરી પંચામૃતથી અભિષેક કરો. ભગવાન વિષ્ણુને ચંદન ચઢાવો. પીળા ફૂલ, વસ્ત્ર, અક્ષત, ધૂપ, દીવો, સોપારી, તુલસીના પાન વગેરે અર્પણ કરો. ભગવાન વિષ્ણુને ખીર, કેળા, અને કેસર અર્પણ કરો.
ધ્યાનમાં રાખો કે વ્રત કથા વિના કોઈપણ વ્રત અધૂરું માનવામાં આવે છે. એકાદશીના વ્રત દરમિયાન દિવસભર ભોજન અને ફળોનું સેવન કરવામાં આવતું નથી. આ પછી બીજા દિવસે સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યા પછી વ્રત તોડવામાં આવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ