એમપીના આ મંદિરમાં વર્ષોથી થઈ રહ્યું છે ગીતાનું સામૂહિક પઠન, બાળકોથી લઈને વડીલો પણ લે છે ભાગ

બુરહાનપુરઃ ધાર્મિક જાગૃતિને લઇને દેશભરના લોકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લામાં પણ આવું એક ધર્મ જાગરણ જૂથ છે. જે છેલ્લા 25 વર્ષથી દરરોજ સામૂહિક રીતે ગીતાનો પાઠ કરે છે. 25 વર્ષ પહેલા આ ગ્રુપમાં માત્ર 10 વડીલો જ હતા જેઓ સમુહમાં ગીતાપાઠ કરતા હતા, પરંતુ આજે આ જૂથની સંખ્યા વધીને 100થી વધુ થઈ ગઈ છે.
અહીંના લાલબાગ વિસ્તારમાં આવેલા શાકંભરી માતાના મંદિરમાં દરરોજ સવારે 6:00 થી 7:00 સુધી સામૂહિક રીતે એક કલાક ગીતાના પાઠનું પઠન કરવામાં આવે છે. ગીતાના પાઠ કરીને, આ સમૂહ દેશ, વિશ્વ અને જિલ્લામાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરે છે. આ ગ્રુપમાં મહિલાઓ પણ સામેલ છે.
ધર્મ જાગરણ ગ્રુપના પ્રમુખ પવન કુમાર મોદીએ ગીતાનું સામૂહિક પઠન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે છેલ્લા 25 વર્ષથી અમારા ગ્રુપ દ્વારા સામૂહિક રીતે શ્રીમદ ભાગવત ગીતાનું પઠન કરવામાં આવે છે. 25 વર્ષ પહેલાં જ્યારે તેની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે અમારા જૂથ સાથે માત્ર અમુક જ લોકો સંકળાયેલા હતા.
આજે આ જૂથની સંખ્યા સતત વધી રહી છે. આ ગ્રુપમાં બાળકોથી લઈને વડીલો સુધી તમામ લોકો સામેલ છે, જેઓ દરરોજ સવારે 6:00 થી 7:00 વાગ્યા સુધી સામૂહિક રીતે 1 કલાક ગીતાજીના પઠનમાં ભાગ લે છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં ધાર્મિક જાગૃતિ કેળવવાનો છે અને અન્ય લોકોને મદદ કરવા માટે સતત પ્રેરણા આપવી એ અમારી સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે દર રવિવારે સાંજે 4:00 થી 5:00 કલાક સુધી સભ્યોના ઘરે સામૂહિક રીતે ગીતાનું પઠન કરવામાં આવે છે. આ સામૂહિક ગીતા પઠનમાં મોટી સંખ્યામાં લોકો પણ ભાગ લે છે.