સ્પેશિયલ ફિચર્સ

ભારતીય રેલવેની આ ટ્રેનમાં પ્રવાસ કરવા નથી ટિકિટની જરૂર, વર્ષોથી ફ્રીમાં પ્રવાસ કરે છે પ્રવાસીઓ…

ભારતીય રેલવે (Indian Railways) દુનિયાનું સૌથી વિશાળ અને વ્યસ્ત ચોથા નંબરનું રેલવે નેટવર્ક છે. ભારતીય રેલવે દ્વારા દરરોજ હજારો ટ્રેનો દોડાવવામાં આવે છે, જેમાં કરોડો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. ટ્રેનમાં પ્રવાસ કરવા માટે પ્રવાસીઓએ ટિકિટ ખરીદવી પડે છે, પરંતુ જો તમને કોઈ કહે કે ભારતમાં એક ટ્રેન એવી પણ છે કે જેમાં પ્રવાસ કરવા માટે કોઈ ટિકિટ નથી ખરીદવી પડતી? તો તમારા માનવામાં આવશે ખરું? 75 વર્ષ કરતાં પણ વધારે સમયથી આ ટ્રેનમાં પ્રવાસીઓ ફ્રીમાં પ્રવાસ કરી રહ્યા છે. ચાલો તમને જણાવીએ આ અનોખી ટ્રેન વિશે અને તે ક્યાંથી ક્યાં દોડે છે એ વિશે-

દુનિયાનું સૌથી વિશાળ કહી શકાય એવું રેલવે નેટવર્ક છે ભારત પાસે. અહીં અંદાજે દરરોજ 13,000 ટ્રેનો દોડે છે અને કરોડો પ્રવાસીઓને એમના નિર્ધારિત સ્થળે પહોંચાડે છે. પરંતુ ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી ખૂબ જ જરૂરી છે. જો ટિકિટ વિના પ્રવાસ કરતાં પકડાશો તો ટીસી દ્વારા દંડ ફટકારવામાં આવે છે.

bhakra nangal train

ભાખડા નાંગલ ટ્રેન પંજાબના નાંગલ અને હિમાચલ પ્રદેશના ભાખડા વચ્ચે દોડાવવામાં આવે છે. મજૂરોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી આ ટ્રેન આજે માત્ર પ્રવાસનું એક માધ્યમ નહીં પણ એક ઐતિહાસિક ધરોહર બની ચૂકી છે.

ચોંકી ઉઠ્યાને આ અનોખી ટ્રેન વિશે સાંભળીને? હવે તમે જ્યારે પણ હિમાચલ પ્રદેશ કે પંજાબ ફરવા જાવ તો એક વખત ચોક્કસ આ હેરિટેજ ટ્રેનમાં પ્રવાસ કરજો હં ને? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને?

તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે આપણા દેશમાં એક ટ્રેન એવી પણ છે કે જેમાં પ્રવાસ કરવા માટે ટિકિટ ખરીદવાની જરૂર નથી. આ ટ્રેન છેલ્લાં 75 વર્ષ કરતાં પણ લાંબા સમયથી પ્રવાસીઓને ફ્રીમાં પ્રવાસ કરાવડાવે છે. આ ટ્રેનનું નામ છે ભાખડા-નાંગલ ટ્રેન. આ ટ્રેન એક ઐતિહાસિક વારસો બની ગઈ છે જેની શરૂઆત 1948માં કરવામાં આવી હતી અને ત્યારથી અત્યાર સુધી આ ટ્રેનમાં પ્રવાસીઓ ફ્રીમાં પ્રવાસ કરે છે. આ ટ્રેન હિમાચલ પ્રદેશના ભાખડામાં દોડે છે.

1948માં ભાખડા-નાંગલ ડેમના નિર્માણ કાર્ય કરી રહેલાં મજૂરો, કન્સ્ટ્રક્શનનો સામાન લાવવા લઈ જવા માટે ભાખડા નાંગલ વચ્ચે આ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેન 13 કિમીની સફર ખેડે છે અને દરરોજ આ ટ્રેનમાં આશરે 800 પ્રવાસીઓ પ્રવાસ કરે છે, જેમાં સ્થાનિક નાગરિકો સિવાય પર્યટકોનો સમાવેશ પણ થાય છે.

આપણ વાંચો : આ છે Indian Railwayનું સૌથી છેલ્લું સ્ટેશન, નામ જાણીને ચોંકી ઉઠશો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button