શું તમને પણ આંખમાં ઝાંખપ આવવા માંડી છે, તો આ બીજને આહારમાં સામેલ કરો
![If you are also experiencing blurred vision, then include this seed in your diet](https://bombaysamachar.com/wp-content/uploads/2023/12/DTB-2023-12-26T170513.680.jpg)
વધતી જતી ઉંમરને કારણે કે પછી ખોરાકમાં પૂરતા પોષક તત્વોનો અભાવ, મોબાઈલ કે કોમ્પ્યુટર સ્ક્રીનની સામે વધુ સમય બેસી રહેવાથી કે લાંબા સમય સુધી વાંચન કરવાથી આંખો પર અવળી અસર થાય છે, જેના કારણે આંખો નબળી પડી જાય છે અને આંખોની રોશની પણ પ્રભાવિત થાય છે. આવી સ્થિતિમાં, જો તમને પણ જોવામાં તકલીફ થવા લાગી છે, તો કદાચ વધુ સારો આહાર તમારી આંખોની રોશની સુધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આવા જ કેટલાક આહારની માહિતી અમે તમને આપીશું જેને આહારમાં સામેલ કરવામાં આવે તો આંખોની રોશની સુધારવાની સાથે આંખનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આ બીજમાં વિટામિન એ, વિટામિન સી, ઝિંક, ઓમેગા-3 ફેટી એસિડ, ગ્લુટેન અને બીટા કેરોટીન પણ હોય છે જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે.
અળસીના બીજ
ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર અળસીના બીજનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે, જેમાં આંખોની દ્રષ્ટિ સુધારવાનો પણ સમાવેશ થાય છે. અળસીના બીજ ખાવા આંખો માટે ફાયદાકારક સાબિત થાય છે. આ બીજને શેકીને ખાઈ શકાય છે અથવા સલાડ, સેન્ડવીચ અને સ્મૂધી વગેરેમાં ઉમેરીને પણ ખાઇ શકાય છે.
વરિયાળી બીજ
વરિયાળીના બીજનું સેવન આંખો માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો રોજ એક ચમચી વરિયાળી ખાવામાં આવે તો આંખોને વિટામીન A મળે છે જે આંખો માટે ફાયદાકારક છે. વરિયાળીનું સેવન કરવાથી પાચનક્રિયા પણ સુધરે છે.
સૂર્યમુખીના બીજ
આહારમાં સૂર્યમુખીના બીજનો સમાવેશ કરવાથી પણ અનેક સ્વાસ્થ્ય લાભો મળે છે. સૂર્યમુખીના ફૂલોમાં વિટામીન ઈ વધુ માત્રામાં હોય છે અને તે આંખો માટે અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. આ બીજ ઉપરાંત ઈંડા, બદામ અને ટામેટાના રસમાં પણ વિટામીન ઈ ભરપૂર માત્રામાં હોય છે.
આ ખોરાક પણ ફાયદાકારક છે. બીજ સિવાય પણ બીજી ઘણી ખાદ્ય વસ્તુઓ છે જે આંખો માટે ફાયદાકારક છે. આ વસ્તુઓમાં બ્રોકોલી પણ સામેલ છે. બ્રોકોલી ખાવાથી શરીરને વિટામીન સી, બીટા કેરોટીન અને ગ્લુટેન મળે છે જે આંખો માટે ફાયદાકારક છે. અખરોટનું સેવન પણ આંખો માટે સારું ગણાય છે. ભીંડા પણ આંખો માટે ફાયદાકારક છે.