પનીર અસલી છે કે ભેળસેળવાળું નકલી આવી રીતે ઓળખો | મુંબઈ સમાચાર

પનીર અસલી છે કે ભેળસેળવાળું નકલી આવી રીતે ઓળખો

શાકાહારીઓ માટે પનીરને સુપરફૂડ ગણવામાં આવે છે. ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ અને વાનગીઓ માત્ર પનીરમાંથી જ બનાવવામાં આવે છે. તદુપરાંત, તહેવારોનો પ્રસંગ હોય, તો પનીર એક મહત્વપૂર્ણ જરૂરિયાત બની જાય છે. ભલે તહેવારોની સિઝન ન હોય અને ઘરમાં મહેમાનો આવવાના હોય, ત્યારે પણ શાહી પનીર, કઢાઈ પનીર, પનીર લબાબદાર જેવી વાનગીઓને આપણે મેનુમાં સામેલ કરીએ જ છીએ. શાકભાજી ઉપરાંત, પનીરનો ઉપયોગ પરાઠા, ખીર, મીઠાઈ અને અન્ય ઘણી વાનગીઓ બનાવવામાં કરી શકાય છે. જો કે કાચું પનીર ખાવું સૌથી આરોગ્યપ્રદ માનવામાં આવે છે. પનીરની ભારે માગને કારણે, સ્ટોર માલિકો ઘણીવાર વિવિધ ભેળસેળ સાથે પનીરનું વેચાણ કરે છે. ખાસ કરીને તહેવારો આવતા જ ખાદ્યપદાર્થઓમાં ભેળસેળ કરનારાઓ સક્રિય થઇ જાય છે. આજે અમે તમને નકલી કે ભેળસેળિયા પનીર પારખવાની કેટલીક રીત જણાવીશુ

અસલી પનીર સ્વાદમાં ક્રીમી હોય છે, જો અલગ સ્વાદ લાગે તો તેમાં ભેળસેળ હોઇ શકે છે. પનીરમાં દૂધનો સ્વાદ, ગંધ આવે છે, જો આ સ્વાદ સારો ન હોય તો તે નકલી છે. પનીરને હાથેથી મેશ કરો, જો તે બ્રાઉન થઇ જાય તો તે અસલી પનીર નથી. નકલી પનીર સખત અને રબરી હોય છે, અસલી પનીર સોફ્ટ, સ્પોન્જી હોય છે. પનીરને હળવા હાથે દબાવતા તે સોફ્ટ લાગે તો તે અસલી છે. આ ઉપરાંત તમે બજારમાંથી પેકેજ્ડ પનીર લેતા હો તો પેકેજ પર લખેલી વિગતો વાંચીને જ લેવાનું રાખો. શુદ્ધ પનીર દૂધમાં લીંબુ, વિનેગાર મિક્સ કરીને બનાવાય છે. પનીરનો ટૂકડો પાણીમાં ઉકાળીને ઠંડો કરો. તેના પર ટિંકચર આયોડિનના ટીપા નાખો. જો પનીરનો રંગ ભૂરો થઇ થાય તો સમજી લો કે પનીરમાં બનાવટ કરવામાં આવી છે અને એ શુદ્ધ નથી. પનીર મોઢામાં ઓગળે નહીં કે સ્વાદમાં સિન્થેટિક લાગે તો તે શુદ્ધ નથી. પનીરના ટૂકડાને આગ પર રાંધો. જો તેમાંથી ધુમાડા નીકળે કે તે સળગવા લાગે તો તે નકલી છે.

Back to top button