સ્પેશિયલ ફિચર્સ

શું તમારા શરીરમાં યુરિક એસિડ વધી ગયું છે?

પેશાબના આ લક્ષણો સાબિતી પૂરે છે. એને અવગણતા નહીં

અયોગ્ય આહાર અને બદલાયેલી જીવનશૈલીના કારણે ઘણા લોકોના શરીરમાં યુરિક એસિડ વધી જવાના મામલા સામે આવે છે. યુરિક એસિડ એ દરેક વ્યક્તિના શરીરમાં ઉત્પન્ન થતું ઝેર છે. કિડની આ ઝેરને ફિલ્ટર કરે છે અને પેશાબ દ્વારા શરીરમાંથી દૂર કરે છે. જ્યારે કિડની શરીરમાંથી યુરિક એસિડને દૂર કરતી નથી, ત્યારે તે શરીરના સાંધામાં ક્રિસ્ટલ્સના રૂપમાં એકઠા થવા લાગે છે અને ધીમે ધીમે સંધિવાનું સ્વરૂપ લે છે. સંધિવાને કારણે લોકોને સાંધામાં દુખાવો થવા લાગે છે. જો યોગ્ય સમયે યુરિક એસિડની ઓળખ ન થાય તો તેના કારણે શરીરને ભારે નુકસાન સહન કરવું પડે છે. તમારો પેશાબ તમારા સ્વાસ્થ્યના અનેક રહસ્ય ઉજાગર કરી શકે છે. જો તમે યુરિક એસિડનો શિકાર બન્યા હો તો એ પણ ખબર પડે છે. તો આપણે જાણીએ કે યુરિક એસિડના પેશાબ સંબંધિત લક્ષણો શું છે…

પેશાબ કરતી વખતે બર્નિંગ સેન્સેશનઃ
જો પેશાબ કરતી વખતે તમને બળતરા થાય અને તમને UTI (યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન) નથી થયું, તો તમારે તરત જ તમારા યુરિક એસિડની તપાસ કરાવવી જોઈએ. જ્યારે લોહીમાં યુરિક એસિડનું સ્તર વધે છે ત્યારે પેશાબ દરમિયાન બર્નિંગ સેન્સેશન થઈ શકે છે. જો પેશાબમાં થતી બળતરાની સારવાર ન કરવામાં આવે તો યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે.


પેશાબ કરતી વખતે દુર્ગંધ:
યુરિક એસિડ વધવાને કારણે, પેશાબમાં ખૂબ જ તીવ્ર દુર્ગંધ આવવા લાગે છે. આવી સ્થિતિમાં, જો તમને પેશાબ કરતી વખતે દુર્ગંધ આવે છે, તો તમારે તેને અવગણવાને બદલે, તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ યુરિક એસિડ વધવાની નિશાની હોઈ શકે છે.


પેશાબના રંગમાં ફેરફારઃ
જ્યારે યુરિક એસિડ વધે છે, ત્યારે પેશાબનો રંગ કાદવવાળો થવા લાગે છે. પેશાબ કરતી વખતે તમને બળતરાની લાગણી થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં, પેશાબમાં લોહી પણ હોઈ શકે છે.


અતિશય પેશાબ:
જ્યારે લોહીમાં યુરિક એસિડનું સ્તર વધે છે, ત્યારે ઘણો પેશાબ થાય છે. વારંવાર પેશાબ કરવાને કારણે ડિહાઈડ્રેશનની સમસ્યાપણ થઇ શકે છે. યુરિક એસિડના દર્દીઓની કિડની, પાણીની અછતને કારણે શરીરમાંથી નકામો કચરો અને ઝેર દૂર કરવામાં નિષ્ફળ જાય છે. જો તમને યુરિક એસિડનું એક પણ લક્ષણ દેખાય તો તેની તપાસ કરાવો, કારણ કે તેને સમયસર ઓળખવાથી તમે ઘણી બીમારીઓથી મુક્ત રહી શકો છો.


પેશાબમાં લોહી:
આ સંકેત છે કે તમને કોઈ ચેપ લાગ્યો છે. શરીરમાં યુરિક એસિડની માત્રામાં વધારો થવાને કારણે, તમારા શરીરમાં પાણીની ઉણપ થઈ શકે છે અને પાણીની ઉણપને કારણે, તમારા પેશાબમાં લોહી આવી શકે છે. જો તમને પણ પેશાબમાં આવી સમસ્યા થઈ રહી હોય તો તમારે તુરંત ડૉક્ટરની સલાહ લેવી જોઇએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…