હેલ્થ

ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવા જોઈએ આ ફળો, નહીંતર…

આજની સ્ટ્રેસફૂલ લાઈફસ્ટાઈલમાં ડાયાબિટીસ, થાઈરોઈડ, હાઈ બીપી વગેરે ખૂબ જ કોમન બીમારીઓ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આજે અમે અહીં તમને કેટલાક એવા ફળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓએ બચવું જોઈએ નહીં તો એમનું શુગર લેવલ હાઈ થઈ જશે.

આ પણ વાંચો: Good News: ભારતમાં ડાયાબિટીસના દર્દીઓ માટે નિડલ ફ્રી Insulin ઉપલબ્ધ થશે, સરકારે આપી આ કંપનીને મંજૂરી

ફળોનું સેવન કરવું આમ તો આરોગ્ય માટે સારું માનવામાં આવે છે પણ અમુક સમસ્યા કે બીમારીના દર્દીઓને અમુક ફળો ખાવાની મનાઈ પણ કરવામાં આવે છે. આ ફળોમાં એવા તત્વો હોય છે જે તેનું સેવન કરનારને વધારે નુકસાન પહોંચાડે છે. આજે અમે અહીં તમને કેટલાક એવા ફળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાનદાયી માનવામાં આવે છે.
What happened on the night of 31st Dec that the stock of grapes in Ahmedabad ran out? You will also be shocked to know
⦁ ડાયાબિટીસના દર્દીઓએ દ્રાક્ષનું સેવન ના કરવું જોઈએ કારણ કે દ્રાક્ષમાં કુદરતી સાકરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે જેને કારણે ડાયાબિટીસના દર્દીનું શુગર લેવલ તરત જ હાઈ થઈ જાય છે


⦁ દ્રાક્ષ સિવાય આ દર્દીઓએ અનાનસનું સેવન પણ ના કરવું જોઈએ. અનાનસના સેવનથી શરીરમાં શુગરનું પ્રમાણ વધી જાય છે, કારણ કે અનાનસમાં મોટા પ્રમાણમાં સાકર હોય છે, એટલે ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન ના કરવું જોઈએ

Banana kitchen tricks
⦁ આ ઉપરાંત કેળાનું સેવન પણ ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક માનવામાં આવે છે. કેળામાં રહેલાં તત્વો શરીરમાં શુગરનું પ્રમાણ વધારવાનું કામ કરે છે


⦁ ચીકુમાં મોટા પ્રમાણમાં નેચરલ શુગર હોય છે એટલે તેનું સેવન કરવું ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ચીકુમાં ગ્લાઈસેમિક ઈન્ડેક્સ હાઈ હોય છે

Mango lovers don't forget to do this before eating the mango, otherwise
⦁ લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ પણ ડાયાબિટીસના દર્દીઓએ કેરીનું સેવન કરવાથી પણ બચવું જોઈએ. કેરીમાં મોટા પ્રમાણમાં નેચરલ શુગર હોય છે જે શરીરમાં શુગરનું પ્રમાણ વધારે છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button