હેલ્થ

ન્યુ યર પાર્ટી પછી હેન્ગ ઓવર થઈ ગયું છે? આ ટિપ્સ અજમાવીને ચપટીમાં ઉતરી જશે હેન્ગ ઓવર…

2026ના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે તમે પણ એકદમ જોરશોરથી પાર્ટી-શાર્ટી કરવાના પ્લાનિંગ કરી જ લીધા હશે. હવે ન્યુ યર પાર્ટીમાં મજા કરતી વખતે મજા થઈ જાય પણ બીજા દિવસની સવારે હેન્ગ ઓવરથી માથું ફાટફાટ થાય છે. જો તમને પણ આ સમસ્યા સતાવે છે તો આજે અમે અહીં તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે સરળતાથી હેન્ગ ઓવરની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો-

નવા વર્ષના આગમનની ગણતરીઓ ગણાઈ રહી છે અને 31મી ડિસેમ્બરની સાંજે કે રાતે લોકો પાર્ટી કરે છે. ન્યુ યર ઈવની પાર્ટીમાં લોકો ખૂબ મજા કરે છે. મદિરાપાન કર્યા બાદ તેનું સેવન કરનારાને યુરિન વધારે પાસ થાય છે, જેને કારણે શરીરમાં પાણીની કમી થઈ જાય છે.

ડિહાઈડ્રેશન, માથાનો દુઃખાવો, ચક્કર અને થાક હેન્ગ ઓવરનું કારણ બને છે. આવી સ્થિતિમાં ઘણા લોકોને સમજાતું નથી કે આ સમસ્યામાંથી છુટકારો કઈ રીતે મેળવી શકાય. આજે અમે તમને અહીં કેટલીક એવી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે આ મુશ્કેલીમાંથી સરળતાથી બહાર આવી શકો છે.

પાણી કે નારિયેળ પાણીનું સેવન કરો

As the heat increases, the price of chilled coconut water also increases.

આલ્કોહલ શરીરને ડિહાઈડ્રેટ કરે છે, જેને કારણે માથાનો દુઃખાવો થાય છે. આવી સ્થિતિમાં ઘૂંટ-ઘૂંટ પાણી પીવું જોઈએ. આ સિવાય તમે નારિયલ પાણી પણ પી શકો છો, કારણ કે તે ઈલેક્ટ્રોલાઈટ્સથી ભરપૂર હોય છે. આને કારણે શરીરમાં મિનરલ્સનું લેવલ જળવાઈ રહે છે.

મધ ખાવાનું રાખોઃ

Consume these Super Foods, the weight will decrease even during sleep at night...

મધ એટલે કે હનીમાં ફ્રુક્ટોઝ મોટા પ્રમાણમાં હોય છે. ફ્રુક્ટોઝ શરીરમાંથી આલ્કોહોલનું પ્રમાણ ઝડપથી ઘટાડવાનું કામ કરે છે. પરિણામે હેન્ગ ઓવર ઉતારવા માટે તમે દર એક-બે કલાકમાં એકથી બે ચમતી મધનું સેવન કરવું જોઈએ.

ઈન્સ્ટન્ટ એનર્જી માટે કેળા છે બેસ્ટઃ

potential-health-benefits-of-bananas-1440x810

વધારે પડતું પીવાને કારણે શરીરમાં પોટેશિયમની ઉણપ વર્તાય છે. આને કારણે થાણ અને માંસપેશીઓમાં દુઃખાવો વગેરે અનુભવાય છે. આવી સ્થિતિમાં કેળાનું સેવન કરવું જોઈએ. કેળાનું સેવન કરવાથી પોટેશિયમનું લેવલ વધી જાય છે અને ઈન્સ્ટન્ટ એનર્જી પણ મળે છે.

આદું છે કામની વસ્તુઃ

_પ્લીઝ આને અડશો નહીં વેબ સ્ટોરી (43)

આલ્કોહોલને કારણે થનારી બેચેનીમાંથી રાહત અપાવે છે આદું. આલ્કોહોલની સમસ્યામાંથી મુક્તિ મળવા માટે આદુંનો એક નાનકડો ટુકડો ચબાવો કે પછી અદરકવાળી વિના દૂધવાશી ચાનું સેવન કરો. આ ઉપાય કરવાથી પાચનતંત્ર સુધરે છે અને પેટની બળતરા ઓથી થઈ જાય છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button