આવતીકાલે છે ગુરુ પુષ્ય નક્ષત્ર યોગ: ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિની કૃપા ભરશે ધનનાં ભંડાર…

આવતીકાલે એટલે કે 21મી નવેમ્બરે ગુરુ પુષ્ય યોગ રચાઈ રહ્યો છે. જ્યોતિષમાં ગુરુ પુષ્ય યોગને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. દેવગુરુ બૃહસ્પતિ ધન અને સમૃદ્ધિનાં કારક છે. જો ગુરુવારે પુષ્ય નક્ષત્રનો સંયોગ હોય તો આવકના સ્ત્રોતની તક પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચો : સારંગપ્રીતઃ શ્રદ્ધા અંતિમ લક્ષ્યની ગીતા મહિમા –
આવતીકાલે એટલે કે 21મી નવેમ્બરે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ગુરુ પુષ્ય યોગનો શુભ સંયોગ બનશે. આ દિવસે સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે એવું કહેવાય છે કે આ દિવસે સોનું ખરીદવાથી કુંડળીમાં ગુરુની સ્થતિ બળવાન બને છે.
સફળતા મળવાની 99.9 ટકા સંભાવના
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુ પુષ્ય યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે, જેમાં ગુરુ ગ્રહ પુષ્ય નક્ષત્રમાં હોય છે. ગુરુ અને પુષ્ય બંને સંપત્તિ, સમૃદ્ધિ અને જ્ઞાનના પ્રતીક છે. તેથી આ બંનેના સંયોજનથી બનેલો યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આ યોગ દરમિયાન જે પણ કાર્ય કરવામાં આવે છે તેમાં સફળતા મળવાની 99.9 ટકા સંભાવના છે.
ગુરુ પુષ્ય યોગ દરમિયાન કરો આ 5 કામ:
- ગુરુ પુષ્ય યોગના સમયમાં સોનું, આભૂષણ, મકાન, મિલકત વગેરેમાં રોકાણ કરવું શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમે કોઈપણ પોલિસી અથવા કોઈપણ પૈસા સંબંધિત યોજનામાં રોકાણ કરી શકો છો. તમને આનાથી લાભ મળશે અને આ બધા રોકાણના ફાયદા લાંબા સમય સુધી તમારી સાથે રહેશે.
- આ યોગમાં તમે નવી દુકાન, નવું કામ, નવું વાહન, નવું મકાન વગેરે ખરીદવાની શરૂઆત કરી શકો છો. આ શુભ યોગના કારણે તમને આ કાર્યોમાં સફળતા મળી શકે છે.
- ગુરુ પુષ્ય યોગમાં તમારે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આ દિવસે કનકધારા સ્તોત્રનો પાઠ કરો. લક્ષ્મી નારાયણની કૃપાથી તમારી સંપત્તિમાં વધારો થશે.
- જ્યારે ગુરુ પુષ્ય યોગ બને છે, ત્યારે તે સમયે તમે હળદરની પણ ખરીદી શકો છો જે વિષ્ણુ અને દેવ ગુરુ બૃહસ્પતિને પ્રિય છે. તેનાથી તમારું ભાગ્ય મજબૂત થશે.
- ગુરુ પુષ્ય યોગ દરમિયાન ચાંદીથી બનેલું લક્ષ્મી યંત્ર અથવા ચાંદીના બનેલા કોઈપણ ચોરસ ટુકડાની ખરીદી કરો અને તેની પૂજા કરો. તેનાથી આર્થિક સમસ્યાઓ દૂર થશે.