સ્પેશિયલ ફિચર્સ

મહાભારતનો આ રથને ક્યારેય જોયો છે?

અર્જુન જે રથમાં સવાર થઇને યુદ્ધ લડ્યો ભગવાન શ્રી કૃષ્ણ સારથી બન્યા હતા તે કપિધ્વજ રથની હૂબહુ કોપી એટલે આ રથ…

આગ્રા: મહાભારત યુદ્ધમાં જે રથના સીરથી ભગવાન કૃષ્ણ બન્યા હતા તે રથની ધજા પર પવનપુત્ર હનુમાનજીની છબિ જોવા મળે છે અને એટલે જ આ રથને કપિધ્વજ રથના નામથી ઓળખવામાં આવે છે. ત્યારે આવો કોઇ રથ જો અતેયારે જોવા મળે તો… તાજ શહેરમાં ચાલી રહેલા એક પ્રદર્શનમાં દેશભરના જ્વેલર્સ તેમના ખરીદદારો માટે સોના અને ચાંદીની ઘણી બધી વસ્તુઓ પ્રદર્શિત કરી હતી. જેમાં ઘણી વસ્તુઓતો એવી પણ હતી કે તેને લોકોએ પહેલીવાર જ જોઇ હોય. તેમાંનો એક હતો આ કપિધ્વજ રથ જે આ પ્રદર્શનનું ગૌરવ બની રહ્યો હતો.


આગ્રાના એક સોના ચાંદીના વેપારીએ સોન, ચાંદી, રત્ન, રત્તી, હીરા, માણક, નીલમણિ અને વાસ્તવિક મોતીનો ઉપયોગ કરીને કપિધ્વજ રથ બનાવ્યો હતો. આ રથ ખૂબ જ આકર્ષક દેખાય છે. પ્રદર્શનની મુલાકાત લેનારા લોકો રથને જોઈને ત્યાં જ ઊભા રહી જાય છે.


વેપારી એ કહ્યું હતું કે આ રથ બનાવવાનો વિચાર મહાભારત પરથી આવ્યો હતો. મહાભારતમાં અર્જુને જે રથનો ઉપયોગ કર્યો હતો તે કપિધ્વજ હતો. જે રથના સારથિ ભગવાન શ્રી કૃષ્ણ હતા. ત્યાંથી પ્રેરણા લઈને તેમણે આ રથ બનાવવાનું નક્કી કર્યું હતું. આ રથમાં 8333 રત્નો, રતી, હીરા, પન્ના, નીલમણિ અને વાસ્તવિક મોતી જડેલા છે. આ ઉપરાંત મીના અને પેઇન્ટનું કામ પણ કરવામાં આવ્યું છે. આ આખા રથમાં 400 ગ્રામ સોનું અને 15 કિલો ચાંદી છે.


કપિધ્વજ રથે તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું, આ રથને જોતાં જ લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે. આ રથ ખૂબ જ સુંદર કારીગરી સાથે તૈયાર કરવામાં આવ્યો છે. આ રથને કુલ 40 કારીગરોએ 6 વર્ષની અથાગ મહેનત કરીને પૂર્ણ કર્યો હતો. આ રથની કોઈ કિંમત નથી, તે અમૂલ્ય છે. તેથી આ રથ માત્ર પ્રદર્શન માટે જ મૂકવામાં આવ્યો છે તેને વેચાણ માટે રાખવામાં આવ્યો નથી.


મહાભારતની કથા અનુસાર, કપિધ્વજ રથ અર્જુનને પ્રાપ્ત થયેલો દૈવી રથ હતો. તેના સારથિ ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં હતા. આ કપિધ્વજ રથ પર શ્રી રામ ભક્ત હનુમાનજી બિરાજમાન હતા. મહાભારતના યુદ્ધની સમાપ્તિ પછી, જેમ જ ભગવાન કૃષ્ણ કપિધ્વજ રથમાંથી નીચે ઉતર્યા કે તરત જ તે રથ આગમાં લપેટાઈ ગયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બે દિવસ બાદ આ રાશિઓ બનશે અમીર, શનિની રહેશે કૃપા દ્રષ્ટિ… તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…