સ્પેશિયલ ફિચર્સ

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે એક વર્ષના કાર્યકાળમાં આપ્યા આ મહત્તવના ચુકાદા…

નવી દિલ્હી: ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે બુધવારે આ પદ પર એક વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો હતો. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન જાહેર જીવનને અસર કરતા મુદ્દાઓ પર ચુકાદાઓ આપ્યા અને એવા સુધારાઓ શરૂ કર્યા જે આવનારા સમયમાં ન્યાય પ્રણાલી માટે એક ઉદાહરણ પૂરું પાડશે.

ગયા વર્ષે 9 નવેમ્બરે ભારતીય ન્યાયતંત્રના વડા તરીકેનો કાર્યભાર સંભાળનારા જસ્ટિસ ચંદ્રચુડે સર્વોચ્ચ અદાલતે પારદર્શિતા વધારવા અને સર્વોચ્ચ અદાલતમાં LGBTQIA+ સમુદાયના સમાવેશ તરફ અનેક પગલાં લીધાં.

જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે દિલ્હી સરકારને ચુકાદો આપતા કહ્યું હતું કે દિલ્હી સરકાર પાસે જાહેર વ્યવસ્થા, પોલીસ અને જમીન સિવાયની સેવાઓના વહીવટ પર કાયદાકીય અને કાર્યકારી સત્તા છે. જો કે કેન્દ્રએ પાછળથી આ નિર્ણયને ઉલટાવી લેવા માટે કાયદો ઘડ્યો અને સેવાઓ સંબંધિત બાબતોમાં લેફ્ટનન્ટ ગવર્નરની પ્રાધાન્યતા સ્થાપિત કરી હતી. આ ઉપરાત તેમની પાંચ જજની બેંચે મહારાષ્ટ્ર સરકાર બાબતે ચુકાદો આપતા કહ્યું હતું કે મહા વિકાસ અઘાડી સરકારને પુનઃસ્થાપિત કરી શકે નહીં કારણ કે તેમણે ગૃહમાં વિભાજનનો સામનો કર્યા વિના રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત ટેકનિકલ, વહીવટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે પહેલ કરી હતી.

નોંધનીય છે કે શરૂ કરવા ઉપરાંત ન્યાયમૂર્તિ ચંદ્રચુડના પિતા અને ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ વાયવી ચંદ્રચુડની જેમ જ છેલ્લા એક વર્ષમાં મહત્વપૂર્ણ ચુકાદાઓ આપ્યા હતા. તેમના પિતા 22 ફેબ્રુઆરી 1978 થી 11 જુલાઈ 1985 સુધી ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે સૌથી લાંબા સમય સુધી સેવા આપતા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door Catches Win Matches: Top Indian Cricket Fielders Through the Decades IPL: Sixes Galore! Delhi vs Mumbai Turns into a Hitting Extravaganza