મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

હેં…અનુપમા અને અનુજ સાથે શૉ છોડી રહ્યા છે? દર્શકોને આપશે ઝટકો કે શું…

પતિને અન્ય યુવતી સાથે પ્રેમ થતા ત્રણ સંતાનની માતા એકલી થઈ અને સાસરિયા અને સંતાનોના સાથને લીધે આગળ આવી, ત્યારબાદ તેનાં જીવનમાં ફરી એક પુરુષ આવ્યો અને હવે તેની સાથે સંસાર માંડી નવા નવા પડકારોનો સામનો કરતી મહિલાની સ્ટોરી કહેતી અનુપમા ટીવી સિરિયલ ઑનએર થઈ ત્યારથી જ લોકપ્રિય છે અને હજુપણ તેની લોકપ્રિયતા જળવાઈ રહી છે. જોકે આ સિરિયલ વિશે તાજેતરમાં એક માહિતી લીક થઈ છે તે જાણી ફેન્સને ભારે ધક્કો લાગ્યો છે.

અનુપમાના મુખ્ય પાત્રો એટલે કે અનુપમા અને અનુજ આ શૉમાંથી ગાયબ થવાની વાતો થઈ રહી છે. આ પાત્રો રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના ભજવી રહ્યા છે. આ બન્ને સ્ટારને આ સિરિયલને લીધે જબરી લોકપ્રિયતા મળી છે અને તેમની કેમેસ્ટ્રી લોકોને ખૂબ ગમે છે. હવે આ બન્ને સિરિયલ શા માટે છોડવાના છે તેની વાત કરીએ તો કહેવાય છે કે વાર્તામાં 20 વર્ષનો લિપ આવશે અને તેમની જગ્યાએ નવા પાત્રો આસપાસ વાર્તા ફરશે.

આ પણ વાંચો : લગ્નની ફિલ્મી કરિયર પર Aishwarya Rai-Bachchanએ આપ્યો એવો જવાબ કે જોતો રહ્યો Abhishek…

જોકે ફિલ્મના પ્રોડ્યુસર આ વાતનો ઈનકાર કરી રહ્યા છે. તેમના કહેવા અનુસાર આવો કોઈ ફેરફાર સિરિયલમાં થવાનો નથી અને આ બન્ને પાત્રો પણ સિરિયલ છોડી ક્યાંય જવાના નથી, પણ હવે આગ લાગી હશે તો ધૂમાડો દેખાશે તે ન્યાયે કંઈક ચાલતું હશે ત્યારે જ આવી વાત બહાર આવી હશે. હવે આ હકીકત છે કે અફવા તે તો સમય જ બતાવશે.

Show More

Related Articles

Back to top button
આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ