સ્પેશિયલ ફિચર્સ

ભારતનું એવું મંદિર જ્યાં આજે પણ જોવા મળે છે ભગવાન પરશુરામની ફરસી

તમે પૃથ્વીને અનેક વાર નક્ષત્રિયાણી કરનાર ભગવાન પરશુરામની વાર્તા સાંભળી હશે, પણ શઉં તમને ખબર છે કે ભગવાન પરશુરામની ફરસી આજે પણ ધરતી પર મોજૂદ છે. હા, એવો દાવો કરવામાં આવે છે કે એક ટેકરી પર સ્થિત એક મંદિરમાં, ભગવાન પરશુરામે જાતે જ તેમની ફરસી દાટી દીધી હતી. આ અંગે એક રસપ્રદ વાર્તા પણ છે જે અમે તમને જણાવીશું.

ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ 150 કિમી દૂર, ગુમલા જિલ્લામાં એક ટેકરી છે. જ્યાં તાંગીનાથ ધામ આવેલું છે. તે જ ધામ મંદિરમાં ભગવાન પરશુરામની કુહાડી છે. જો કે, આ કુહાડી ખુલ્લા આકાશ હેઠળ છે, પરંતુ આજ સુધી તે ક્યારેય કાટ લાગ્યો નથી. આ વાત કોઈ રહસ્યથી ઓછી નથી કે હજારો વર્ષ પછી પણ તે સલામત કેવી રીતે છે?
એવું માનવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિ જે આ કુહાડીથી ચેડાં કરવાની કોશિશ કરે છે તેના ગંભીર પરિણામો ભોગવવા પડે છે. એકવાર લુહાર આદિજાતિના કેટલાક લોકોએ ફરસને જડમૂળથી ઉખેડી નાખવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ જ્યારે ફરસને ઉથલાવી શક્યા નહોતા, તેઓએ તેના ઉપરના ભાગને કાપી નાખ્યા. જો કે, તે પણ તેને લેવામાં પણ તે નિષ્ફળ ગયા. એવું કહેવામાં આવે છે કે આ ઘટના પછી નજીકમાં રહેતા લુહાર આદિજાતિના લોકો એક પછી એક મરવા લાગ્યા. ત્યારબાદ તેઓ તે વિસ્તાર છોડી ગયા હતા. આજે પણ આ જાતિના લોકો આસપાસના ગામોમાં રહેવા માટે ડરતા હોય છે.


એવી લોકવાયકા છે કે જ્યારે ત્રેતાયુગમાં જનકપુરમાં માતા સીતાના સ્વયંવર દરમિયાન ભગવાન રામે શિવજીના ધનુષને તોડ્યું હતું, ત્યારે તેનો ઉગ્ર અવાજ સાંભળીને પરશુરામજી ક્રોધમાં જનકપુર પહોંચ્યા હતા અને ભગવાન રામ અને લક્ષ્મણને ઓળખ્યા વિના તેમણે તેમને ખૂબ ખરાબ કહ્યું હતું, પરંતુ પાછળથી જ્યારે તેમને ખબર પડી કે રામ તો ભગવાન વિષ્ણુના અવતાર છે. ત્યારે તેમને તેમની ભૂલ સમજાઇ હતી, પણ ભૂલનું પ્રાયશ્ચિત કરવામાં ખૂબ શરમ અને સંકોચ થયો હતો. તેથી તેઓ પર્વત પર ગયા. તે જ સમયે, તેમણે તેમની કુહાડી દફનાવી દીધી અને તપસ્યા કરવાનું શરૂ કર્યું. આજ સ્થાન આજે તાંગીનાથ ધામ તરીકે ઓળખાય છે. એવું કહેવામાં આવે છે કે ફરસ સિવાય ભગવાન પરશુરામના પગનાં નિશાન પણ ત્યાં હાજર છે.


તાંગીનાથ ધામમાં સેંકડો શિવલિંગ અને પ્રાચીન મૂર્તિઓ પણ જોવા મળે છે. આ બધા પણ ખુલ્લા આકાશ નીચે જ છે. 1989માં પુરાતત્વ વિભાગે અહીં ખોદકામ કર્યું હતું, જેમાં તેમને હીરા, ઝવેરાત, સોના-ચાંદીના આભૂષણો સહિત અનેક વસ્તુઓ મળી આવી હતી, પરંતુ કોઇ અગમ્ય કારણસર આ ખોદકામ પછીથી બંધ કરી દેવામાં આવ્યું હતું. ખોદકામમાંથી મળેલી વસ્તુઓ હજી પણ અહીંના પોલીસ સ્ટેશનની તિજોરીમાં મૂકવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button