નેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

ચંદ્રયાન-3 પછી હવે ભારતીયોની નજર ઇસરોના આ મિશન પર….

સૂર્ય મિશન આદિત્ય એલ-1 પછી ઇસરો હવે ગગનયાન મિશનની તૈયારી કરી રહ્યું છે. ઈસરોના ચીફ એસ સોમનાથે ભારતના ગગનયાન મિશનને લઈને ઘણા ખુલાસા કર્યા છે. તેમણે કહ્યું હતું કે અવકાશના રહસ્યો શોધવા માટે ગગનયાન મિશનની પ્રથમ પરીક્ષણ ઉડાન 21 ઓક્ટોબરે કરવામાં આવશે.

ત્યારબાદ વધુ ત્રણ ટેસ્ટ ફ્લાઈટ્સ મોકલવામાં આવશે. મદુરાઈમાં સોમનાથે કહ્યું હતું કે 21 ઓક્ટોબરે પ્રથમ ટેસ્ટ વ્હીકલ ડેવલપમેન્ટ ફ્લાઈટ (TV-D1) પછી અમે D2, D3 અને D4નું આયોજન પણ કર્યું છે. ચંદ્રયાન 3 અને આદિત્ય એલ1 પછી, બધાની નજર ISROના મહત્વાકાંક્ષી મિશન ગગનયાન પર છે. જેના દ્વારા ભારતના ત્રણ લોકો ભારતીય અવકાશયાન દ્વારા જ અવકાશમાં જશે. 400 કિલોમીટરની ઉંચાઈ પર આ ત્રણ દિવસીય મિશન પછી ગગન યાનના મુસાફરો સમુદ્રમાં ઉતરાણ કરીને અને પરત ફરશે. ગગનયાન એ ઈસરોના ત્રણ અવકાશ મિશનનું એક જૂથ છે. આમાં બે મિશન માનવરહિત છે જ્યારે ત્રીજામાં માનવોને પણ અવકાશમાં મોકલવામાં આવ્યા છે.

આ પરીક્ષણમાં ક્રૂ મોડ્યુલને બાહ્ય અવકાશમાં લોન્ચ કરવા, તેને પૃથ્વી પર પાછા લાવવા અને બંગાળની ખાડીમાં ટચડાઉન કર્યા પછી તેને ફરીથી રિકવર કરવા સુધીની તમામ સિસ્ટમ સેટ કરવામાં આવી છે. અને આ તમામ પરિક્ષણ એટલા માટે કરવામાં આવશે કારણકે ગગનયાન મિશન માટે ક્રૂ એસ્કેપ સિસ્ટમની કામગીરી જોવા માટે પરીક્ષણ જરૂરી છે. ગગનયાનમાં ક્રૂ એસ્કેપ સિસ્ટમ એ ખૂબ જ મહત્વપૂર્ણ સિસ્ટમ જેના દ્વારા રોકેટને કંઈપણ થાય જેમકે રોકેટ વિસ્ફોટ થાય અને બળી જાય તે પહેલાં ક્રૂને ઓછામાં ઓછા બે કિલોમીટર દૂર ખસેડીને બચાવી શકાય. આ સિસ્ટમને ટ્રાન્સોનિક સ્થિતિ કહેવામાં આવે છે.


ગગનયાન પરીક્ષણ વાહનના પ્રક્ષેપણ બાદ (21 ઓક્ટોબર) અમારી પાસે જી.એસ.એલ.વી. પછી અમારી પાસે SSLV છે. ત્યારબાદ ગગનયાન માનવરહિત મિશન હશે. જાન્યુઆરી પહેલા આપણને ઓછામાં ઓછા 4-5 લોન્ચ જોવા મળશે. ગગનયાન મિશન હેઠળ ઇસરોએ આવતા વર્ષની શરૂઆતમાં ગગનયાન મિશનના પ્રથમ માનવરહિત મિશનની યોજના બનાવી છે. માનવરહિત મિશનની સફળતા બાદ એક માનવ સાથેનું પણ મિશન હશે જેમાં મનુષ્ય અવકાશમાં જશે.


નોંધનીય છે કે ઈસરોએ 8 અને 10 ઓગસ્ટ વચ્ચે ચંદીગઢમાં ગગનયાન મિશન માટે ડ્રેગ પેરાશૂટનું સફળ પરીક્ષણ કર્યું હતું. જો ગગનયાન મિશન સફળ થશે તો ભારત પણ અમેરિકા, રશિયા અને ચીન જેવા પસંદગીના દેશોની યાદીમાં સામેલ થઈ જશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત