રાશિફળ

2025ના અંતમાં શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, ચાર રાશિના જાતકોનું સૂતેલું ભાગ્ય જાગી ઉઠશે…

2025નું વર્ષ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ અને મહત્ત્વનું રહ્યું છે અને 2025ના અંતમાં પણ કેટલાક ગ્રહોનું ગોચર થઈ રહ્યું છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોને લાભ થઈ રહ્યું છે. 2025ના અંતમાં શુક્ર નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ઉઘડી જશે.

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 30મી ડિસેમ્બરના રાતે 10.05 કલાકે શુક્ર મૂળ નક્ષત્ર છોડીને પૂર્વાષઢા નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્રનું આ ગોચર ખૂબ જ ખાસ માનવામાં આવ્યું છે. 2025માં શુક્રએ કુલ 36 વખત નક્ષત્ર પરિવર્તન કર્યું છે અને 2025માં તેનું આ છેલ્લું ગોચર થઈ રહ્યું છે. ચાર રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર ખૂબ જ લાભદાયી થઈ રહેવાનું છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-


વૃશ્ચિક રાશિના જાતકો માટે શુક્રનું આ થઈ રહેલું ગોચર નાણાંકીય અને અંગત જીવન માટે ખૂબ જ લાભદાયી રહે છે. સંબંધોમાં કોઈ ગેરસમજણ ચાલી રહી હશે તો તે દૂર થઈ રહી છે. આ સમયે તમારી અંદર એક નવી ઊર્જાનો સંચાર થશે. પ્રોપર્ટી અને સંપત્તિમાં વધારો થઈ રહ્યો છે. નવા પ્રોજેક્ટ્સ અને રોકાણ અંગે સમજી વિચારીને લીધેલા નિર્ણયથી લાભ થઈ રહ્યો છે. આ સમયે તમને દરેક કામમાં સફળતા મળી રહી છે.

After a century, two powerful yogas will be formed together, a sleeping destiny will awaken.
તુલા રાશિના જાતકો માટે આ સમયગાળા દરમિયાન પદ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ રહ્યો છે. સમાજનમાં માન-સન્માનમાં વધારો થશે. કામના સ્થળે તમારા કામથી તમને નવી ઓળખ મળશે. પરિવાર અને મિત્રો સાથેના સંબંધોમાં વધારો થશે. નાણાંકીય બાબતોમાં સ્થિરતા આવશે. ખર્ચા નિયંત્રણમાં આવશે. માનસિક શાંતિ અને સ્વાસ્થ્યમાં સુધારો થઈ રહ્યો છે.


મિથુન રાશિના જાતકો માટે આ સમયગાળો સકારાત્મક ફેરફારો લઈને આવશે. પ્રેમ સંબંધોમાં સુધારો જોવા મળશે. જૂના મતભેદનો અંત આવી રહ્યો છે. નાણાંકીય સ્થિતિ વધારે મજબૂત થશે. આવકના નવા નવા સ્રોત ખુલી રહ્યા છે. રોકાણ અને નવા પ્રોજેક્ટમાટે આ સમયગાળો અનુકૂળ છે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. કળા, રચનાત્મક અને સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને આ સમયે લાભ થશે.


કુંભ રાશિના જાતકો માટે પણ શુક્રનું આ ગોચર ખૂબ જ લાભદાયી સાબિત થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે અને વ્યક્તિત્વમાં સુધારો આવશે. આ સમયે જીવનમાં સકારાત્મક પરિણામો મળી રહ્યા છે. પારિવારિક સંબંધોમાં પણ મજબૂતી આવશે. નાણાંકીય લાભ થળે અને રોકાણથી સકારાત્મક પરિણામો મળે એવી શક્યતા છે. સ્વાસ્થ્ય અને માનસિક દ્રષ્ટિએ આ સમયગાળો એકદમ અનુકૂળ રહેશે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button