રાશિફળ

24 કલાક બાદ વૃશ્ચિક રાશિમાં બનશે આ ખાસ યોગ, ત્રણ રાશિના જાતકોને થશે અપરંપાર લાભ…

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ નવેમ્બર મહિનો ખૂબ જ મહત્ત્વનો રહ્યો અને આ મહિનાના અંતમાં પણ કેટલાક મહત્ત્વના ગ્રહો ગોચર કરી રહ્યા છે. ગ્રહોનું આવું જ એક ગોચર આવતીકાલે એટલે કે 26મી નવેમ્બરના થઈ રહ્યું છે. જેને કારણે કેટલીક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે.

મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર હાલમાં ગ્રહોના રાજા સૂર્ય અને ગ્રહોના સેનાપતિ મંગળ વૃશ્ચિક રાશિમાં બિરાજમાન છે. હવે આવતીકાલે એટલે કે 26મી નવેમ્બરના રોજ સુખ અને સમૃદ્ધિના કારક એવા શુક્ર પણ વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે જેને કારણે વૃશ્ચિક રાશિમાં ત્રિગ્રહી યોગ બની રહ્યો છે.

છઠ્ઠી ડિસેમ્બર સુધી વૃશ્ચિક રાશિમાં આ ત્રિગ્રહી યોગની અસર જોવા મળશે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય, મંગળ અને શુક્રનો ત્રિગ્રહી યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે.

જેને કારણે આ અમુક રાશિના જાતકોના વ્યક્તિત્વમાં અને કાર્યક્ષમતામાં સુધારો જોવા મળશે. આ રાશિના જાતકોને કારકિર્દી અને આર્થિક બાબતોમાં સફળતા મળશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

આપણ વાચો: આજનું રાશિફળ (25-11-25): આ ત્રણ રાશિના જાતકોએ આજે રહેવું પડશે ખાસ સાવધાની, ધનહાનિ થવાના યોગ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?

મેષઃ

A special coincidence is happening on Kartik Purnima, these zodiac signs will be rich

મેષ રાશિના જાતકો માટે વૃશ્ચિક રાશિમાં બની રહેલો આ ત્રિગ્રહી યોગ ખૂબ જ સારો રહેશે. આ સમયે આ રાશિના જાતકોને કારકિર્દીની દ્રષ્ટિએ લાભ થશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. કાર્યક્ષમતામાં વધારો થઈ રહ્યો છે. બિઝનેસ કરી રહેલાં લોકોને આ સમયે લાભ થઈ રહ્યો છે. નવી ડીલ ફાઈનલ થઈ શકે છે. ધનલાભ થશે. પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે.

સિંહઃ

સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો ફાયદાકારક સાબિત થશે. તમારી નેતૃત્વક્ષમતામાં વધારો થશે. સમાજ અને કામના સ્થળે તમારો પ્રભાવ વધશે. આર્થિક સ્થિતિ સુધરી રહી છે. આવકમાં વધારો થશે. વિદ્યાર્થીઓ, કલાકાર અને મીડિયા સાથે સંકળાયેલા લોકો માટે આ સમયગાળો સારો રહેશે. પરિવારમાં સુખ-શાંતિનો માહોલ રહેશે.

વૃશ્ચિકઃ

Today's horoscope (18-03-25):

આ રાશિમાં જ ત્રિગ્રહી યોગ બની રહ્યો છે, જેને કારણે આ રાશિના જાતકો માટે સમય અનુકૂળ રહેશે. આ રાશિના જાતકોને શુભ પરિણામ મળી રહ્યા છે. તમારી નિર્ણય લેવાની ક્ષમતાનો તમે પૂરેપૂરો લાભ ઉઠાવશો. કારકિર્દીમાં નવી નવી ઊંચાઈઓ હાંસિલ કરશો. નાણાંકીય સ્થિતિ પણ સુધરી રહી છે. આ સમયે તમે જે પણ કામમાં હાથ નાખશો એમાં સફળતા મળશે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button