સાતમી જૂન સુધી દેશ દુનિયા માટે કટોકટીના, આંધી-તોફાન અને યુદ્ધના ભણકારા, જાણો કોણે કરી આવી ડરામણી ભવિષ્યવાણી…

હેડિંગ વાંચીને તમારી આંખો પણ પહોળી થઈ જ ગઈ હશે કે હજી તો માંડ માંડ ભારત-પાકિસ્તાન વચ્ચેની તણાવભરી પરિસ્થિતિ હળવી થઈ છે ત્યાં ફરી યુદ્ધ, આંધી અને તોફાનના ભણકારા… ભાઈ આવું અમે નહીં જાણીતા જ્યોતિષીઓ કહી રહ્યા છે અને પણ ગ્રહ-તારાની ગણતરીના આધારે. હાલમાં રાહુ અને મંગળની જે સ્થિતિ છે એને કારણે ષડાષ્ટક યોગ બની રહ્યો છે, જેને કારણે આગામી 15-17 દિવસ દેશ દુનિયા માટે ભારે રહેશે. આવો જોઈએ શું છે આ ષડાષ્ટક યોગ અને એની શું અસર જોવા મળશે…
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 18મી મેના રાહુએ ગોચર કરીને કુંભ રાશિમાં ગોચર કર્યું હતું અને ત્રીજી એપ્રિલથી મંગળ કર્ક રાશિમાં બિરાજમાન છે, જેને કારણે રાહુ અને મંગળ વચ્ચે ષડાષ્ટક યોગ બની રહ્યો છે. આ ભયંકર યોગ બે ગ્રહોની વચ્ચે છઠ્ઠા કે આઠમા ભાવમાં હોવાથી બને છે અને હાલમાં રાહુ અને કેતુ વચ્ચે આ સ્થિતિ જોવા મળી રહી છે.
આ પણ વાંચો: આજનું રાશિભવિષ્ય (21/05/2025): આજે આટલી રાશિના જાતકોને લાભ થશે નક્કી, જાણી લો તમારું ભવિષ્ય શું કહે છે?
વાત કરીએ ક્યાં સુધી આ ષડાષ્ટક યોગની અસર જોવા મળશે તો સાતમી જૂન સુધી મંગળ કર્ક રાશિમાં બિરાજમાન રહેશે એટલે સાતમી જૂન સુધી આ યોગની અસર જોવા મળશે. જ્યોતિષશાસ્ત્રમાં આ યોગને ખૂબ જ વિનાશકારી, ભયંકર માનવામાં આવે છે અને 12-12 રાશિની સાથે સાથે દેશ-દુનિયા પર તેની અસર જોવા મળી શકે છે.
સૂર્યમંડળમાં ગ્રહોની સ્થિતિની અસર દેશ-દુનિયાના રાજકારણ, શાંતિ વ્યવસ્થા અને કુદરતી આફતો પર પણ જોવા મળે છે. હાલમાં મંગળ અને કેતુને કારણે રચાઈ રહેલાં ષડાષ્ટક યોગને કારણે તોફાન, ભૂકંપ, આગ લાગવા જેવી કુદરતી ઘટનાઓ ઘટશે, જેને કારણે જાન-માલનું નુકસાન થશે. આ ઉપરાંત પહલગામ આંતકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ હાલ તો શાંત છે, પણ સાતમી જૂન પહેલાં ફરી વખત આ વિવાદ વકરે એવી પૂરેપૂરી શક્યતા છે.
ષડાષ્ટક યોગને કારણે સિંહ, ધન અને મીન રાશિના જાતકો પર જોવા મળી શકે છે. આ રાશિના જાતકોના જીવન પર આ યોગની અસર જોવા મળી શકે છે, તેથી આ રાશિના જાતકોએ વિશેષ સાવધ રહેવાની જરૂર છે.