શનિ અને બુધની થશે યુતિ, ત્રણ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી… જોઈ લો તમારી રાશિ પણ છે ને? | મુંબઈ સમાચાર

શનિ અને બુધની થશે યુતિ, ત્રણ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી… જોઈ લો તમારી રાશિ પણ છે ને?

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર શનિ ન્યાયના દેવતા છે અને તેઓ દરેકને તેમના કર્મ અનુસાર ફળ આપે છે. શનિના રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનની તમામ રાશિના જાતકો પર અસર જોવા મળે છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં શનિદેવ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે જેને કારણે તમામ રાશિના જાતકો પર અસર જોવા મળશે. હાલમાં શનિ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં સ્થિત છે અને આ નક્ષત્ર ગુરુ સંબંધિત હોવાને કારણે કેટલીક રાશિના જાતકોને શુભ પરિણામ મળશે. આ સિવાય ત્રીજી એપ્રિલના બુધ પણ આ નક્ષત્રમાં ગોચર કરવા જઈ રહ્યો છે. જેને કારણે ગુરુના નક્ષત્રમાં શનિ અને બુધનો સંયોગ થઈ રહ્યો છે. 29મી માર્ચથી મીન રાશિમાં ગુરુ અને બુધની પણ યુતિ થઈ રહી છે. આ યુતિઓની વિવિધ રાશિઓ પર અસર જોવા મળશે. આવો જોઈએ કઈ રાશિના જાતકોને આ યુતિને કારણે લાભ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ (26-03-25): આ ત્રણ રાશિના જાતકોને આજે મળશે ચિંતામાંથી મુક્તિ, વધશે ધનલાભની તક…

Today's Horoscope (15-03-2025)
વૃષભ રાશિના જાતકો માટે શનિ અને બુધનો આ સંયોગ ખુબ જ લાભદાયી સાબિત થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને દરેક કામમાં સફળતા મળશે. કામના સ્થળે વરિષ્ઠ અધિકારીઓ સાથેના સંબંધો સુધરી રહ્યા છે. કારકિર્દીમાં પણ આગળ વધશો. પ્રમોશન-પગાર વધારો થવાની શક્યતા છે. બિઝનેસમાં પણ નફો થઈ રહ્યો છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સંતાન તરફથી સારા સમાચાર સાંભળવા મળશે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થશે.

Today's horoscope (18-03-25):
મિથુન રાશિના જાતકોને પણ શનિ અને બુધની યુતિથી લાભ થશે. કારકિર્દી અને આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ લાભ થઈ રહ્યો છે. તમને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળી રહ્યું છે. કામના સ્થળે તમને નવી નવી તક મળશે. ખર્ચમાં ઘટાડો થશે. નોકરીમાં સ્થિરતા અને પ્રગતિ થવાના યોગ બની રહ્યા છે. વેપારમાં વૃદ્ધિ થશે. રોકાણથી પણ લાભ થશે. જીવનસાથી સાથેના સંબંધોમાં મજબૂતી આવશે.

Today's Horoscope (18-03-2025)
તુલા રાશિના જાતકોને પણ આ સમયે સફળતા મળશે. અટકી પડેલાં કામ પૂરા થશે. નોકરીમાં તમને નવી નવી તક મળશે. કામના સ્થળે આજે તમારો પ્રભાવ વધશે. વિરોધીઓ પર વિજય મેળવશો. પૈસા સંબંધિત સમસ્યાનો પણ ઉકેલ આવશે. પરિવારમાં મતભેદ થશે, એટલે સાવધ રહેવાની સલાહ આપવામાં આવે છે. સ્વાસ્થ્યને લઈને સાવધ રહેવું પડશે. રોકાણ કરીને પારાવાર લાભ થશે. વિદ્યાર્થીઓને સારી તક મળશે.

સંબંધિત લેખો

Back to top button