ગુરુનું આર્દ્રા નક્ષત્રમાં થશે ગોચર, ત્રણ રાશિના જાતકોના ઉઘડી જશે ભાગ્ય… | મુંબઈ સમાચાર

ગુરુનું આર્દ્રા નક્ષત્રમાં થશે ગોચર, ત્રણ રાશિના જાતકોના ઉઘડી જશે ભાગ્ય…

જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જુલાઈ મહિનાનો ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે, કારણ કે આ મહિનામાં અનેક મહત્ત્વના ગ્રહો ગોચર કરી રહ્યા છે. આવું જ એક નક્ષત્ર પરિવર્તન 24 કલાક બાદ થઈ રહ્યું છે.

આવતીકાલે એટલે કે 13મી જુલાઈના સંપત્તિ અને સમૃદ્ધિના કારક ગુરુ, આર્દ્રા નક્ષત્રના બીજા તબક્કામાં પ્રવેશી રહ્યો છે. ગુરુ આવતીકાલે સવારે 7.39 કલાકે આર્દ્રા નક્ષત્રના બીજા તબક્કામાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ગુરુની આ નક્ષત્ર પરિવર્તન કેટલીક રાશિના જાતકોને પારાવાર લાભ પહોંચાડી રહ્યો છે, ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

આપણ વાંચો: આજનું રાશિફળ (12-07-25): સિંહ અને મકર રાશિના જાતકોને આજે તેમના કામમાં મળશે સફળતા, જોઈ લો શું છે બાકીની રાશિના હાલ…

ધનઃ

ધન રાશિના જાતકો માટે ગુરુનું આ નક્ષત્ર પરિવર્તન લાભદાયી રહેશે. આ સમયે પરિણીત જાતતકોના જીવનમાં ખુશહાલીનું આગમન થશે. પાર્ટનરશિપમાં કોઈ કામ કરશો તો તેમા સફળતા મળી રહી છે. વિદેશયાત્રા કે ઉચ્ચ શિક્ષણ લેવાની તમારી ઈચ્છા પણ પૂરી થઈ રહી છે. ધન ગુરુ રાશિના સ્વામી છે.

મિથુનઃ

After a century, two powerful yogas will be formed together, a sleeping destiny will awaken.

મિથુન આર્દ્રા નક્ષત્રની મૂળ રાશિ છે અને એટલે જ આ રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયી રહેવાનો છે. આ સમયે કારકિર્દીને લઈને નવી નવી શક્યતાઓ સામે આવશે. બિઝનેસમાં વિસ્તરણની શક્યતાઓ વધી રહી છે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.

મેષઃ

A special coincidence is happening on Kartik Purnima, these zodiac signs will be rich

મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ સારો રહેવાનો છે. આ સમયે તમાર સાહસ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ લઈને આવે છે. ભાઈ-બહેનનો સંપૂર્ણ સાથ-સહકાર મળે છે. મીડિયા, લેખન કે કમ્યુનિકેશન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ફાયદાકારક સાબિત થશે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button