રાશિફળ

ચાર દિવસ બાદ બનશે આ ખાસ રાજયોગ, ત્રણ રાશિના જાતકોના નસીબ આડેથી પાંદડું ખસશે… જોઈ લો તમારી રાશિ પણ છે ને?

જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહ એક ચોક્કસ સમયે ગોચર કરે છે અને આ ગોચર વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી છે. ગ્રહોના આ ગોચરની દેશ-દુનિયા પર અસર જોવા મળે છે. નવે નવ ગ્રહની એક આગવી ખાસિયત અને મહત્ત્વ વિશે વાત કરવામાં આવી છે. આ તમામ ગ્રહોમાં ગુરુનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે.

આવો આ ગુરુની ચાર દિવસ બાદ ચંદ્ર સાથે યુતિ થઈ રહી છે, જેને કારણે ખાસ ખાસ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે.

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર પાંચમી ડિસેમ્બરના રોજ દેવગુરુ ગુરુ મિથુન રાશિમાં ગોચર કરશે અને એ જ દિવસે તેની ચંદ્ર સાથે યુતિ પણ થઈ રહી છે. ગુરુ અને ચંદ્રની યુતિથી ગજકેસરી રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. ગુરુ પાંચમી ડિસેમ્બરના બપોરે 3.38 કલાકે મિથુન રાશિમાં વક્રી થશે.

ચંદ્ર રાશિમાં 10.15 કલાકે ગોચર કરશે. રાજયોગને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે. આ રાજયોગને કારણે કેટલીક રાશિના જાતકોને સફળતા, સિદ્ધિ અને સમૃદ્ધિ મળશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

આપણ વાચો: આજનું રાશિફળ (01-12-25): ડિસેમ્બરનો પહેલો દિવસ કેવો રહેશે મેષથી મીન રાશિના જાતકો માટે જાણી લો એક ક્લિક પર…

મેષઃ

A special coincidence is happening on Kartik Purnima, these zodiac signs will be rich

મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયી સાબિત થશે. આ સમયે જીવનમાં સકારાત્મક પરિણામો જોવા મળશે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થશે. માનસિક શાંતિનો અહેસાસ થશે. જીવનમાં ખુશહાલી આવશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. નોકરી અને બિઝનેસ કરી રહેલાં લોકોને આ સમયે મનચાહ્યો લાભ થશે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જશો.

મિથુનઃ

After a century, two powerful yogas will be formed together, a sleeping destiny will awaken.

મિથુન રાશિના જાતકોને આ સમયે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. આત્મવિશ્વાસમાં વધારો થશે. આ સમયે તે જે પણ કામમાં હાથ નાખશો તેમાં તમને સફળતા મળશે. કોઈ મહત્ત્વના લક્ષ્યો પૂરા થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. વિદ્યાર્થીઓનું ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું સાકાર થઈ રહ્યું છે. આકસ્મિક ધનલાભ થવાના યોગ પણ બની રહ્યા છે.

કન્યાઃ

Today's horoscope (18-03-25):

કન્યા રાશિના જાતકોને પણ આ રાજયોગને કારણે કામના સ્થળે નવી નવી તક મળશે. આ સમયે તમને ઈચ્છિત પરિણામોની પ્રાપ્તિ થશે. નાણાંકીય લાભ થઈ રહ્યો છે. આ સમયે તમે કેટલાક બિનજરૂરી ખર્ચનો સામનો કરવો પડશે. જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિનું આગમન થશે. સફળતા મળતાં તમારું મન પ્રસન્ન થશે. સંતાનના કરિયરને લઈને આ સમયે કોઈ મહત્ત્વનો નિર્ણય લેશો.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button