રાશિફળ

2025માં આ રાશિ પર મહેરબાન રહેશે બજરંગબલિ, જોઈ લો તમારી રાશિ પણ છે ને

ટૂંક સમયમાં જ 2025નું નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને ગ્રહ-નક્ષત્રોની ચાલના હિસાબે આવનારું નવું વર્ષ ખૂબ જ ખાસ સાબિત થવા જઈ રહ્યું છે. જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 2025નું વર્ષ મંગળનું વર્ષ ગણાશે, કારણ કે આ વર્ષનો મૂળાંક 9 છે. અંક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 9ને મંગળનો અંક માનવામાં આવે છે અને મંગળના દેવતા હનુમાનજી છે. જેને કારણે આ વર્ષે મંગળની રાશિઓ પર હનુમાનજીની વિશેષ કૃપા જોવા મળશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

મેષઃ

મેષ રાશિના જાતકો પર 2025ના વર્ષમાં બજરંગબલિની ખાસ કૃપા જોવા મળશે. તમારી ઊર્જા અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ જોવા મળશે. મહેનત કરશો એના પૂરેપૂરા ફળ મળી રહ્યા છે. સફળતાના શિખરો સર કરશો. પારિવારિક જીવનમાં પણ સકારાત્મકતા જોવા મળશે. લગ્ન વગેરે નક્કી થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ધનલાભ થશે.

વૃશ્ચિકઃ

vruschik

વૃશ્ચિક રાશિના જાતકો પર પણ હનુમાનજીની કૃપાથી વિશેષ લાભ પ્રાપ્ત થશે. આ વર્ષે તમે જોયેલા તમામ સપના પૂરા થશે. કોઈ મોટો આર્થિક લાભ થશે. સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે. જીવનમાં કોઈ નવા મહેમાનનું આગમન થશે, જેને કારણે ભવિષ્યમાં લાભ થશે. કરિયરની દ્રષ્ટિએ પણ પ્રગતિ થશે.

આ પણ વાંચો : આજનું રાશિફળ (28-12-24): આજે આ ત્રણ રાશિના જાતકોને મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ… જાણી લો શું છે બાકીની રાશિના હાલ?

મકરઃ

મકર રાશિના જાતકોને પણ આખું વર્ષ હનુમાનજીની કૃપા પ્રાપ્ત થઈ રહી છે. આ રાશિના જાતકો પોતાની ક્ષમતાનો પૂરેપૂરો લાભ ઉઠાવશે. વેપારીઓને પણ આ વર્ષે પારાવાર નફો થઈ રહ્યો છે. કોઈ જગ્યાએથી સારો ફાયદો થશે. વેપારીઓ માટે આ વર્ષ ખૂબ જ લાભદાયી માનવામાં આવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button