નેશનલ

‘ઓપરેશન સિંદૂર’ પર સુંદર નિબંધ લખો અને મેળવો ઇનામઃ સંરક્ષણ મંત્રાલયની જાહેરાત

ત્રણ વિજેતાને 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેવાની ખાસ તક મળશે

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયે આજે ‘ઓપરેશન સિંદૂર’ પર આધારિત નિબંધ લખવાની સ્પર્ધાની જાહેરાત કરી છે જે આજથી 30 જૂન દરમિયાન યોજાશે. મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક ‘પોસ્ટ’માં જણાવ્યું છે કે ટોચના ત્રણ વિજેતાઓને 10,000-10,000 રૂપિયાનું રોકડ ઇનામ મળશે અને તેમને દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાનાર 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેવાની ખાસ તક મળશે.

પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં નવ આતંકવાદી માળખાં પર સચોટ હુમલા કર્યા હતા ત્યાર બાદ પાકિસ્તાને 8, 9 અને 10 મેના રોજ ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: Operation Sindoor: તમે અમારી સુહાગનોની સેથીના સિંદુર ઊજાડ્યા…આ રીતે પડ્યું નામ

ભારતે પાકિસ્તાની હુમલાઓનો કડક જવાબ આપ્યો, એરપોર્ટ, એર ડિફેન્સ સિસ્ટમ, કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્રો અને રડાર સાઇટ્સ સહિત અનેક મુખ્ય પાકિસ્તાની લશ્કરી સ્થાપનોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

વિદેશ વિભાગ દ્વારા 10 મેના રોજ જાહેરાત કરી હતી કે ભારત અને પાકિસ્તાન જમીન, હવા અને સમુદ્ર પર તમામ પ્રકારની લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારનો દાવો છે કે ભારતે આ ઓપરેશન દ્વારા આતંકવાદ સામે “નવી લાલ રેખા” દોરી છે.

આ પણ વાંચો: Operation Sindoor: દેશની સેના પર અમને ગર્વ છેઃ કૉંગ્રેસે આપી પ્રતિક્રિયા

સંરક્ષણ મંત્રાલયે ‘એક્સ’ પર લખ્યું હતું કે “સંરક્ષણ મંત્રાલય યુવા પ્રતિભાઓને પોતાનો અવાજ ઉઠાવવા આમંત્રણ આપે છે. ‘ઓપરેશન સિંદૂર – આતંકવાદ સામે ભારતની નીતિને ફરીથી વ્યાખ્યાયિત કરવી’ વિષય પર સંરક્ષણ મંત્રાલયની દ્વિભાષી નિબંધ સ્પર્ધામાં ભાગ લો.

તેમાં કહેવામાં આવ્યું છે, “સ્પર્ધાની તારીખો: 1 જૂનથી 30 જૂન, 2025. પ્રતિ વ્યક્તિ એક એન્ટ્રી. હિન્દી અથવા અંગ્રેજીમાં.” મંત્રાલયે સ્પર્ધા અને ઓપરેશન સિંદૂરના ‘લોગો’ વિશે વિગતો આપતું પોસ્ટર પણ શેર કર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button