નેશનલ

જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં પૂજાની મંજૂરી: મુસ્લિમ વિસ્તારોમાં દુકાનો બંધ

વારાણસી: જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાની મંજૂરી આપવાના જિલ્લા અદાલતના આદેશને પગલે શહેરના મુસ્લિમ બહુમતિ વિસ્તારોમાં દુકાનો બંધ રહી હતી અને પોલીસે શુક્રવારની નમાઝ પહેલા સમગ્ર જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું હતું. જિલ્લા અદાલતના આદેશ બાદ પ્રથમ શુક્રવારની નમાઝ પર વારાણસી જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

જ્ઞાનવાપી મસ્જિદની સારસંભાળ રાખતી અંજુમન ઈન્તેઝામિયા મસાજિદ સમિતિએ શુક્રવારે શહેરમાં બંધની જાહેરાત કરી હતી. બંધની અસર દાલમંડી, નવી સડક, નડેસર અને આર્દલ બજારના વિસ્તારોમાં જોવા મળી હતી. સમિતિ દ્વારા જાહેર કરાયેલા પત્રમાં તેમણે બજારો બંધ રાખવાની અપીલ કરી હતી અને લોકોને શાંતિથી નમાજ અદા કરવા જણાવ્યું હતું. જેમાં મુસ્લિમ મહિલાઓને તેમના ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી હતી.

પોલીસ કમિશનર અશોક મુથા જૈને મોડી રાત્રે પોલીસ અધિકારીઓ સાથે સુરક્ષા વ્યવસ્થા અંગે બેઠક યોજી
હતી. દિવસ દરમિયાન શાંતિ જાળવવા માટે પડોશી જિલ્લાઓમાંથી વધારાની પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી. કાશી વિશ્ર્વનાથ ધામ અને નજીકના વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં રેપિડ પોલીસ ફોર્સ તૈનાત કરાઇ હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?